‘ધૂમકેતુ’ નાટ્ય સંસ્થા દ્વારા જામનગરના ગૌરવ સમાન કવિઓને શ્રધ્ધાંજલિ આપવા એક કલા અને સંગીતમય કાર્યક્રમ કલાતીત હોટલ , જામનગર ખાતે તા. ૧૮. ૧૨. ૨૦૨૧ના રોજ યોજાઈ ગયો .
આ કાર્યક્રમમાં જામનગરનું નામ સાહિત્ય ક્ષેત્રે ગુંજતું રાખનાર સ્વર્ગસ્થ કવિઓ શ્રી લાભશંકર રાવલ ‘શાયર’ , શ્રી મહેશ જોશી , શ્રી હરકિસન જોશી તેમજ જન્મભૂમિ – ફૂલછાબ ગ્રુપના સિનિયર પત્રકારની તેમની દીર્ઘ કારકિર્દી દરમિયાનના કાર્યની નોંધ લેવાઈ હતી.
ઉપરાંત જામનગરના અન્ય બે કવિઓ શ્રી સતીશ વ્યાસ ‘શબ્દ ‘ અને શ્રી દિનેશ માવલનું સન્માન કરાયું હતુ.
કાર્યક્રમમાં ‘ ફૂલછાબ’ ના મેનેજર શ્રી નરેન્દ્ર ઝીબા, ડૉ. કે. એમ. આચાર્ય અને ડૉ. માટલિયા જેવી અગ્રગણ્ય હસ્તીઓ હાજર રહી હતી.
કાર્યક્રમમાં કવિઓની બે રચનાઓનું પઠન અને ત્યારબાદ તેની સંગીતકાર શ્રી સંજીવભાઈ ત્રિવેદી અને ટીમ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નગરજનોએ કાર્યક્રમ મનભરીને માણ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પાર્થસારથિ વૈદ્યે કર્યું હતુ.
Views: 501
Read Time:1 Minute, 28 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Related Stories
March 26, 2024
March 17, 2024