હિન્દૂ રાષ્ટ્ર : મુસ્લિમોને ભગાડી મુકવા એ ઈલાજ નથી!
- આર્ટિકલ: તુષાર ગોંડલીયા
” આટલા બધા લોકોને તમે સરહદ પાર ભગાડી મુકવાની વાત કરો છો?.”બાંગ્લા દેશીઓ પાસે એમનો સ્વતંત્રદેશ છે. એ લોકો અહીં શુ લેવા આવે છે? પણ શું ખરેખર? હા! કેન્દ્ર માં મારી સરકાર હોત અને હું પ્રધાનમંત્રી હોત તો કાઢી મુક્ત. આ સંવાદ “સીધી બાત” ના પ્રભુ ચાવલા સાથે કરનાર બાલ ઠાકરે હતા.
બાલઠાકરે આપકી અદાલત માં આવ્યા ત્યારે રજત શર્માને એમણે કહેલુ, “બાંગ્લાદેશ, પાકિસ્તાન ઓર આરબ દેશોમે જો હક હિન્દુઓકો નહિ મિલતા વો યહાઁ કિસી કો નહિ મિલેગા.” એમનો ઈશારો મુસલમાનો તરફ હતો.
ખુનન્સ. ઝનૂન. ભડકેલી ભાવનાઓ. મુજે અગર મોકા મિલે તો મેં.-
મેરે પાસ એક એ.કે.56 હો તો મેં-
આમને તો સાલાઓ ને..આમને તો એક વાર બતાવી દેવું જોઈએ..
બસ આ!
કહેવાતા ધાર્મિક લોકોની સુંવાળી, તેજોમય, ચમકદાર ચામડીની નીચે હિંસાના કીડા પનપી રહ્યા છે. કાશ્મીર જેનોસાઈડ ની કહાણી કોઈ પણ જેનોસાઈડી વિચારો નું દમન કરવા કાફી છે. ત્યાં જેવું થયું એવું અહીંયા ન થવું જોઈએ..
પણ તમે ગોધરા ભૂલી ગયા. એક વાર કાશ્મીર જાવ તમને ખબર પડશે…
અજ્ઞાત ઈશ્વરે બનાવેલુ ચારે દિશામાં અનંત ફેલાયેલુ…તારાઓ
…નિહારિકાઓ, દુધગંગાઓ, આકાશગંગાઓ, બ્લેક હોલ્સ અને બ્લેક મેટર નું અમાપ વિશ્વ. ને એની એક રજકણ સમાન આ પૃથ્વી પર:
-રજકણના ય કરોડમાં ભાગના પ્રમાણમાપ માં અરે! અમીબાથી યે નાના માણસનું ઉછળતું ઝનુન-
પોલિટિકલ પાર્ટીઓના પ્રોપેગેંડાનું, જાતિઓનું, જમીન-સરહદોનું, સત્યના સિકાકાની બન્ને બાજુઓનું, નેરેટિવનું, બેટર બ્લડનું, હું અને તું નું; મારુ સારું ને તારું ગોબરુનું સતત ચાલતું માઈન્ડલેસ યુદ્ધ.
હિન્દૂ ધર્મ ખતરામાં છે. ઇસ્લામ પણ ખતરામાં છે. અરે મહારાજ! ઓ મિયાભઈ! શાંતિ! શાંતિ!
સાંભળો: ‘દુનિયાના ગમે તે હવામાનમાં દેશની પ્રજામાં ધર્મ ઓછો અને ધર્મ ઝનૂન વધારે હોય એ પતનની નિશાની છે.’ અધાર્મિકતા નું પહેલું પ્રમાણ છે. આ ધર્મ તમારી પર્સનલ પ્રોપર્ટી નથી. એ આપણા ગ્રેટ ગ્રાન્ડ ફાધર્સ ની દેન છે. તમે ને હું ભાઈઓ છીએ.
શેના ભાઈ? બ્રધર? મને મોકો મળે તો હું- એમની લાઈન ભૂંસી ને ટૂંકી કરી નાખું. અરે મોકો મળે તો નવજાત શિશુને પણ મારી શકે એવા આ કહેવાતા માણસો. જોકે હિન્દૂ અને ઇસ્લામ બન્ને માં રાક્ષસ અને શેતાન ની વિભાવના છે. આ લોકો ત્યાં ફિટ થઈ શકે.
તમારામાં કોઈના વિચાર કે અસ્તિત્વ માત્રને સહન કરવાની ક્ષમતા જતી રહે. એમના માથી તમને ઇમેજિનરી બદબુ આવે એમાં કોનો વાંક છે? તમારા દ્રષ્ટિકોણ નોજ વળી.
ચાલો વાત કરીએ.પરશુરામની જેમ ફરસો ઉઠાવી ને નરસંહાર કરવાથી શું વળશે? કાશ્મીરની જેમ કે જર્મનીએ યહૂદીઓ પર કરેલું એમ જેનોસાઈડ કરવાથી શુ મળશે? અરે પાકિસ્તાન પર અણુ બૉમ્બ ફેંકી ને હીરોશીમાં બનાવી દેવાથી શુ થશે?
જાપાન આજે ફરી પગભેર ઉભો થઇ ગયેલો દેશ છે. યહૂદીઓને ખતમ કરી નાખવા હિટલરે તમામ ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકોને પણ કતલ કરાવ્યા. સેંકડો નિર્દોષોને ગેસ ચેમ્બર માં મરાવી નાખ્યા. પરીણામ શુ આવ્યું? હિટલરનો આત્મા આખી દુનિયા માં જાય પણ જે દેશમાં ન જાય તેવો ઇઝરાયલ નામનો આખો યહૂદી દેશ બન્યો. આસપાસ સાત-સાત દુશ્મન દેશો વચ્ચે ઘેરાયેલો છતાં સ્વતંત્ર અને અડીખમ!
“નાસમજી!” મનના દરેક વિચારને અમલમાં મુકવામાં છે. હિંદુઓ સહિષ્ણુ અને સમજદાર ન હોત તો “કાશ્મીર ફાઇલ્સ” જોયા બાદ જરૂર દંગા ભડકી ઉઠ્યા હોત. પણ એ વખતના મિલિટન્ટસ ના કાશ્મીર માં પકીસ્તાન પ્રેરિત જેનોસાઈડ માટે આજે 2022 માં કોરોના કાળ પછી ઘર ચલાવવા બેકરીની દુકાને નોકરી કરતા, બે પુત્રો ને એક પુત્રી ના બાપ, એક સ્ત્રીના પતિ એવા નિર્દોષ મધ્યમવર્ગી મુસ્લિમની હત્યા કરવી એ ન્યાય નથી એટલું કદાચ એમને સમજ આવે છે. આ વાત પાકિસ્તાન દ્વારા 9/11 ના દિવસે કસાબ અને અન્ય આતંકવાદીઓને મોકલી વિટી સ્ટેશને અંધાધૂંધ ગોળીબાર કરાવનારા આતંકવાદીઓને સમજાતી નથી. સંસ્કાર અને ધર્મની વિચારો પર અસર નું આ ઉદાહરણ છે.
ગોધરા ની 1968,1974,1984 પ્રેરિત મોબ મેન્ટાલીટી અને મુઘલોએ 40,000 મંદિરો તોડ્યા બાદ એક ધક્કા ઓર દો વાળી અયોધ્યાની એક- બાબરી મસ્જિદ ધ્વંસ સિવાય હિંદુઓ વધુ પ્રવોક થયા નથી.
અન્યદેશો માં જે લઘુમતી માં હોય એ ચોક્કસ પીડાય છે. ભારત દેશ આમાં અપવાદ છે. અહીં લઘુમતી સુખદ જીવન જીવે છે. આરબ દેશો માં હિંદુઓને દિવાળી મનાવવા કે સત્યનારાયણની પૂજા કરવા બદલ દેશનિકાલ કરાયા છે. ચાઈનાએ તેના શીનીગ શહેરમાં આવેલી તમામ મસ્જિદોના ગુંબજ ને મિનાર ફરજીયાત હટાવ્યા સાથે-સાથે મસ્જિદના ફૂલ પાંખડી શેપના આરબ ડિઝાઇનના દરવાજા ચાઈનીઝ સ્ટાઇલના ચોરસ બનાવ્યા. મસ્જિદનો દેખાવ ઓળખી ન શકાય તેવો- કોઈ લાઈબ્રેરી ના મકાન જેવો બન્યો.
દરેકને એક મેકથી કાંઈક શીખવાનું છે.
પોતાના ધર્મ પાલનનો આગ્રહ અને ધર્મ ગ્રંથ ના પઠનનો આગ્રહ હિન્દુઓએ મુસ્લિમપાસે શીખવો રહ્યો. મુસ્લિમો એ હિંદુઓ પાસે સહિષ્ણુતા અને અહિંસા શીખવી રહી. પ્રાણીઓ માટે કંપેશન, કરુણા હોય તો માંસાહાર શક્ય ન બને. મુસ્લિમો ભૂલી રહ્યા છે કે વિદેશો જેવી એમની સ્થિતિ અહીંયા નથી.
તેમ છતાં આડોડાઈ જુઓ-
“અમે જનગણમન વાગતું હોય ત્યારે ઉભા નહિ થઈએ. જયહિંદ, જય ભારત બોલીશું પણ ભારતમાતા કી જય નહિ બોલીએ. સારે જહાં સે અચ્છા.. હા ભાઈ હા! પણ વંદે માતરમ તો નહી જ બોલીએ. સચીન બહુ સિકસરો મારતો હોય તો ટીવી બંધ કરી દઈએ. પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડીએ.” કેમ? અમે મુસ્લિમ છીએ. ત્યાં પાકિસ્તાન માં અમારા જાતભાઈઓ રહે છે.
ધાર્મિક બનવા સરળ બનવું જરૂરી છે. હજરત મુહમ્મદ ને અક્ષરજ્ઞાન નહોતું. એમના અવસાન બાદ શિષ્યો એ કુરાન ને ગ્રંથસ્થ કર્યું. ઈશું વ્યવસાયે કારપેન્ટર હતા. અન્યોને નફરત કરવાનું એમણે શીખવ્યું નહોતું. એ એવું કહી જ ન શકે.
મારુ જ સારું ને મારુ જ મહાન વાળી ડિબેટ અજ્ઞાનીઓની છે. એમતો કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે દરેક જીવોનો પિતા હું છું. પણ, હિંદુઓ બીજાને કન્વર્ટ કરવા નીકળી પડતા નથી.
મુહમમદ અને ઈશું બન્ને પયગમ્બર હતા. પયગામ એટલે કે સંદેશો વહન કરનાર. તમે પ્રેમ પત્ર જોઈ ને ટપાલી ના પ્રેમ માં પડી જાઓ છો? ઈશ્વર, અલ્લા, ગોડ એક છે. ભારત માં એક જ ઈશ્વરના અનેક નામો છે.
સનાતન હિન્દૂ ધર્મ બચી રહ્યો કેમકે એ સનાતન છે. “કુછ બાત હે કી હસ્તી મીટતી નહિ હમારી” બીજું મોટું કારણ આપણા પૂર્વજ યોદ્ધાઓ શૂરવીર હતા.દેશ અને ધર્મ માટે મરી પરવારતા.
7મી સદી માં મુધલ આક્રમણ સામે દરેક ગામમાં થી ક્રાંતિ નો જુવાળ ઉઠ્યો હતો. જહાંગીરે “તજક-એ-જહાંગીરી” એ પણ નોંધ્યું છે કે મુઘલોને આ લડાઈ લડતા નાકે દમ આવી ગયેલો. મહારાણા પ્રતાપે જીવનના આખરી શ્વાસ સુધી લડત આપી.
મુઘલો ના 330 વર્ષ અને અંગ્રેજો ની 150 વર્ષની ગુલામીએ 50,000 વર્ષોથી આધ્યાત્મિક ઊંચાઈ સર કરેલા દેશને તોડી નાખ્યો.
ઈરાન માં ઇન્વેડર્સ ના કારણે 300 વર્ષ માં અને અરબ દેશો માં 100 વર્ષ માં જ લોકલ સંસ્કૃતિનો લોપ થયો. પણ, ભારત માં 1300 વર્ષથી સનાતન ધર્મ બહુમતીમાં ટકી રહ્યો છે.
આજે ભારતમાં 79.8% હિન્દૂ, 14.2% મુસલમાન, 2.3% ક્રિશ્ચિયન, 1.7% શીખ અને 2% અન્ય સમુદાય છે. આ દેશ હિન્દૂ રાષ્ટ્ર જ છે. વાસ્તવ માં ભારત કદી સંપૂર્ણ હિન્દૂ રાષ્ટ્ર નહી બને. કેમ? કેમકે એની જરૂર જ નથી. કેમ જરૂર નથી?
ભારતની ધર્મનીરપેક્ષતા ની ખીચડી એક દિવસ માં બની નથી. સરદાર પટેલે અનેક રજવાડાંઓને, અનેક ખંડિત હિસ્સાઓને જોડીને એક ગાંસડીમાં કઈ રીતે બાંધ્યો હશે એ એક ચમત્કાર જ છે.
આપણે સમજવું જોઈશે કે 4500 વર્ષથી જેના મૂળિયાં નખાયાં તે- હિમાલયની હિન્દુકુશ પર્વતમાળામાંથી નિકળતી આપણી એક નદી, જે વિશ્વની સૌથી લાંબી આફ્રિકાની નાઇલ નદી અને એના જેવી જ મોટીબીજી બે નદીઓનું પાણી એકઠું કરો એના કરતાં પણ 3 ગણુ પાણી જેમાં વહે છે એવી સિંધુ નદી ભારતીય સંસ્કૃતિ ની માતા છે.
સિંધુ પર થી હિન્દૂ નામ અપાયું. અને અનેક નદીઓના સંગમથી રચાતી જતી સિંધુ નદીની જેમ અખંડ ભારત પણ કેટલાયે ખંડિત હિસ્સાઓનો જોડ છે. ભારત અનેક પ્રકાર ના લોકો, પહેરવેશ, ખોરાક, કલા, સંસ્કૃતિ-બોલીઓ, ભાષા-રિવાજોનો અનોખો મહાકુંભ છે.
ખીચડી માં ચોખા અને દાળ બન્ને જરૂરી છે એમ આમાંથી કશું કાઢી શકાય તેમ નથી. કેમકે, ભારતની મૂળ વિભાવના જ સમાગમ, સહજીવન, સ્વીકાર અને વિશ્વબંધુત્વના ખ્યાલોની ધુરી પર ટકેલી છે.
સ્પાર્ક:
ll એકમ સત, વિપ્ર બહુધા વદનતી ll
સત્ય અને ઈશ્વર એક છે. વિદ્વાનો માત્ર એને જુદી જુદી રીતે વ્યક્ત કરે છે.
(ઋગ્વેદ: 1: 64: 46) સનાતન ધર્મ ના ચાર વેદો માં – માનવજાતિ ના ઇતિહાસ નો સૌપ્રથમ તેમજ વિશ્વનો સૌથી પુરાતન ગ્રંથ.
ઈશું મસીહ ના જન્મના 1500 વર્ષ તેમજ-
મુહમ્મદ યગંબરના જન્મ ના 2570 વર્ષ પહેલાં.
- તુષાર ગોંડલીયા