જાણીતા સમાજસેવિકા અને રેસ્ક્યુ ફાઉન્ડેશન (rescue foundation)ના અધ્યક્ષ ત્રિવેણી આચાર્યને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનિય છે કે ભૂતપૂર્વ પત્રકાર એવા ત્રિવેણી આચાર્યે દેશભરમાં વિવિધ સ્થળોએથી હજારો બાળકો અને સગીર વયની કન્યાઓને ફરજીયાત દેહવ્યાપાર પાર્ક અને માનવ તસ્કરી માંથી છોડાવી છે તેમજ તેમનું પુન સ્થાપન કર્યું છે અને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જીવના જોખમે પણ તેમણે ગુજરાત અસામાજિક તત્વોની ચુંગાલમાંથી ભારતીય તેમજ વિદેશી મહિલાઓને છોડાવી છે. તેમની નિશ્વાર્થ સેવાભાવી પ્રવૃત્તિઓ બદલ ભારતના રાષ્ટ્રપતિ એ પણ તેમને સન્માનિત કરેલા. ભારત ઉપરાંત ભૂટાન, નેપાલ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઉજબેકિસ્તાન જેવા દેશોની સ્ત્રીઓને પણ તેમણે મદદ કરી છે. ત્રિવેણી આચાર્યનું સન્માન અનેક દેશોમાં થયું છે. આજે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી રત્ન એવોર્ડથી તેઓ સન્માનિત થયા, તેમને રુપિયા ૧૧ હજાર રોકડ ઇનામ તેમજ એવોર્ડ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે રાજ્ય સભાના સાંસદ શ્રી નરહરી અમીન ઉપસ્થિત હતા. કાર્યક્રમના સ્પોન્સર અને ઈવેન્ટ પાર્ટનર પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ શ્રી બી. એસ. પટેલ હતા. અનેક મહાનુભાવો તથા પત્રકારોની ઉપસ્થિતિમાં અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો હતો.
Views: 1836
Read Time:2 Minute, 5 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Related Stories
March 26, 2024
March 17, 2024