‘સાહિત્ય સંગીતનું વિશ્વ’, ગ્રુપના ઍડમિન રાજુલ કૌશિક અને કૌશિક શાહ રચિત આ ગ્રુપનો આરંભ ૨૫ ઑક્ટોબર ૨૦૨૦- દશેરાના શુભ દિવસે થયો.
સમગ્ર વિશ્વના અનેક સન્માનીય અને નવોદિત લેખકો, કવિ, કવયિત્રી, ગઝલકારોએ જોડાઈને આ ગ્રુપને જે સન્માન આપ્યું છે ત્યારે આ ગ્રુપના ઍડમિન (રાજુલ કૌશિક- કૌશિક શાહ )-આભાર અને ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે.
‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ના માધ્યમથી રાજુલ કૌશિક અને કૌશિક શાહ દેશ વિદેશના લેખકો, કવિઓ, ગઝલકારોને પ્લેટફોર્મ આપવાનો યથા શક્તિ પ્રયાસ કરી રહ્યાં છે. ગ્રુપના ઘણા સભ્યોની રચનાઓને વધુ ખ્યાતિ પ્રાપ્ત થાય. લોકભોગ્ય બને એ હેતુથી ન્યૂઝપેપરમાં ગઝલ,કવિતા તથા તેમના લેખો છપાય એ અંગે સક્રિય પ્રયાસ કરે છે..
‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ની નિયમિત રચનાઓને કોલાઝ અથવા વિડીયો સ્વરૂપે કંડારી ગ્રુપમાં પ્રસ્તુત કરીને પ્રોત્સાહિત કરે છે જેથી એમની આગવી ઓળખ ઊભી થાય.
આજે આ ગ્રુપની પશ્ચાદ્ભૂમિકા વિશે થોડી વાત કરતાં રાજુલ કૌશિક અને કૌશિક શાહ કહે છે કે
૨૦૦૬થી એમની અમેરિકા આવનજાવન શરૂ થઈ અને ૨૦૧૦માં ગ્રીનકાર્ડ અને ત્યારબાદ અમેરિકન સિટિઝનશીપ મળી ત્યારથી તેઓ અમેરિકા સ્થાયી થયાં છે.
૨૦૨૦ના લૉકડાઉનના સમયમાં જાણે એવું લાગ્યું કે આખું વિશ્વ અને વિશ્વભરના લોકોની પ્રવૃતિ સ્થગિત થઈ ગઈ છે. આ સ્થગિતતાના સમયમાં સાવ સ્થિરતા કે નિષ્ક્રિયતા આવી જાય એ પહેલાં સ્વ-સક્રિયતા તેમને વિચાર આવ્યો.
લૉકડાઉનમાં મન-ચિત્તને કોઈ પ્રવૃત્તિ મળી રહે એ જરૂરી હતું. આ પ્રવૃત્તિમાં એકલો જાને રે ના બદલે સૌને સાથે લઈને ચાલવાના વિચારથી ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ગ્રુપ રચાયું.
ફેસબુકના અતિ પ્રચલિત અને લોકપ્રિય માધ્યમ થકી એક નવા અભિગમ સાથે શરૂ કરેલા આ ગ્રુપને ખૂબ ત્વર્રિત અને ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો. આજે આ ગ્રૂપ સાથે ૮૩૦૦ માનવંતા સભ્યો જોડાયાં છે.
આ ગ્રુપની પ્રવૃત્તિ જોઈ બીજા ગ્રુપમાં કૌશિક શાહને ઍડમિન તરીકે જોડાવા આમંત્રણ મળ્યા. તેમાં ભારતના નેશનલ લેવલના ગ્રુપ “તુલસી ખુસરો સાહિત્ય સંગમ મંચ” માં કૌશિક શાહની ઍડમિન તરીકે નિમણુંક થઈ. આ ગ્રુપ સાથેના સંકલનથી ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ગ્રુપના સભ્યોને પણ નેશનલ લેવલના પટલનો લાભ મળવા લાગ્યો .
જણાવતા આનંદ થાય છે કે સાહિત્યકાર સતીન દેસાઈ ‘પરવેઝે ‘કરેલા વિદેશમાં રહેતાં ગઝલકારોનાં રસાસ્વાદનું પુસ્તક ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ટૂંક સમયમાં જ સાહિત્ય સંગીતનું વિશ્વના સંસ્થાપક કૌશિક શાહ તથા રાજુલ કૌશિક પુસ્તક રૂપ પ્રગટ કરનાર છે..એનો આનંદ છે
હવે થોડી વાત રાજુલ કૌશિક વિશે.
માતા- ડૉક્ટર ઈન્દુબેન નાણાવટી અને પિતા- શશિકાંત નાણાવટીના સુપુત્રી રાજુલ કૌશિક ‘હેલો ગુજરાત’ સાથે વાત કરતા કહે છે,
“મારા વિશે કંઈ પણ કહેતા પહેલા એક વાત નિશ્ચિતપણે કહીશ કે આ જે કંઈ લેખન પ્રવૃત્તિ કરી રહી છું એ મારા પપ્પા સ્વ.શ્રી શશિકાંત નાણાવટી તરફથી વારસામાં મળેલા આશીર્વાદ હોઈ શકે. તેઓ નામી પત્રકાર, વિવેચક, સમીક્ષક તરીકે ગુજરાત સમાચાર- ચિત્રલોક જેવા અખબારી આલમમાં ખ્યાતિ પામ્યા હતા. રંગભૂમિને અનુલક્ષીને એમની પ્રવૃત્તિ અને એમણે કરેલા નાટ્ય રૂપાંતર આજે પણ રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો માટે સન્માનીય સંભારણાં છે.
મમ્મી ડૉક્ટર ઈન્દુબેન નાણાવટી જનરલ પ્રેક્ટિશનર હતાં.
રાજુલ કૌશિકે ૨૦૦૫થી દિવ્યભાસ્કરના પૂર્તિ વિભાગથી લેખનની શરૂઆત કરી. દિવ્યભાસ્કરની પૂર્તિઓમાં એમના લેખ સતત પ્રગટ થતાં રહ્યાં..
મંગળવારે ‘માધુરિમા’માં વર્તમાન સમયને અનુલક્ષીને કવર સ્ટોરી., બુધવારે ‘કળશ’ના માનુષી વિભાગમાં મહિલા પ્રતિભા પર ઇન્ટરવ્યૂ બેઝ લેખ, શનિવારે ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ’ શૉ કૉલમમાં ફિલ્મ રિવ્યુ અને રવિવારે રસરંગ પૂર્તિમાં ‘યાત્રા-પ્રવાસ’ના લેખ આપ્યા.
નવગુજરાત સમયમાં અમેરિકા સ્થિત મહિલા પ્રતિભા વિશે અને પ્રવાસ વર્ણન પર લેખ આપ્યા. તદુપરાંત ફીલિંગ મૅગેઝિનમાં પ્રવાસ વર્ણન પર લેખ આપ્યા.
ગુજરાત ન્યૂઝલાઈન કેનેડામાં ૨૦૧૦થી ફિલ્મ રિવ્યુ આપ્યા અને ૨૦૨૦થી ‘હકારાત્મક અભિગમ’ પર લેખ પ્રકાશિત થયા અને ૨૦૨૧થી ‘કવિતા શબ્દોની સરિતા; પર લેખશ્રેણી પ્રકાશિત થશે.
‘ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદ’માં ‘સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ પર લખેલા લેખ પ્રકાશિત થઈ રહ્યા છે.
ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી પ્રકાશિત- નમસ્કાર ગુજરાત,
ન્યૂજર્સીથી પ્રકાશિત- ગુજરાત દર્પણ
ઍટલાન્ટાથી પ્રકાશિત- રાષ્ટ્રદર્પણમાં વાર્તાઓ અને શરૂઆત દૈનિકમાં પ્રવાસ લેખ પ્રસિદ્ધ થાય છે.
રાજુલ કૌશિકની છેલ્લા કેટલાક સમયથી સાહિત્યને લગતી વિવિધ પ્રવૃત્તિ સાથે સંલગ્નતા રહી છે- જેમકે હ્યુસ્ટનની સાહિત્ય સરિતા સાથે સહિયારા સર્જન/ બહુલેખી લેખકો દ્વારા લખાતી નવલકથામાં પણ એક લેખક તરીકે જોડાયાં.
કેલિફોર્નિયા- બે એરિઆની સાહિત્યિક પ્રવૃત્તિ- ‘બેઠક- શબ્દોના સર્જન’ સાથે ૨૦૧૫થી જોડાયાં. ૨૦૧૮ના વર્ષ દરમ્યાન પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કરતા ‘હકારાત્મક અભિગમ’ પર સળંગ ૫૧ લેખ આપ્યા જે ઈવિદ્યાલય પર મૂકાયા છે અને હાલમાં કેનેડાના -ગુજરાત ન્યૂઝલાઈન અને વેબ ગુર્જરીમાં પ્રસિદ્ધ થાય છે. ૨૦૧૯માં ‘કવિતા શબ્દોની સરિતા’ નામથી ૫૧ લેખ લખ્યા અને ૨૦૨૦માં “ સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ” લેખમાળામાં અવિનાશ વ્યાસ પર ૫૧ લેખ પૂર્ણ કર્યા. વર્તમાનમાં ‘બેઠક- શબ્દોના સર્જન’ માટે ભારતના સુપ્રસિદ્ધ લેખકોની ટુંકી વાર્તાઓના અનુવાદ કરી રહ્યાં છે..
૨૦૧૮ જાન્યુઆરીથી શરૂ કરેલી ચાર મુખ્ય લેખક (જુગલકિશોર વ્યાસ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા ધ્રુવ, રાજુલ કૌશિક) દ્વારા લિખિત ૫૬ ભોગની પત્રાવળી ૨૦૧૯માં ‘પત્રોત્સવ’ નામથી સંપન્ન થઈ.
૨૦૨૧ના આ વર્ષ દરમ્યાન અંગત ભાવોને આલેખતી ડાયરીને ‘નિત્યનીશી’ના નામથી પાંચ મુખ્ય લેખક ( જુગલકિશોર વ્યાસ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા રાહુલ, નયના પટેલ, રાજુલ કૌશિક) દ્વારા ફેસબુકના માધ્યમે આલેખી રહ્યાં છે..
માતૃભારતી, પ્રતિલિપિ, સ્ટોરી મિરર ઉપરાંત ક્રિયેટસ્પેસ પર વાર્તાઓ તેમજ અન્ય લેખો પ્રસિદ્ધ થયા છે.
પ્રસિદ્ધ કૃતિ – સ્વ લિખિત નવલકથા- “છિન્ન”-
“એષા ખુલ્લી કિતાબ” અને “આન્યા મૃણાલ” (સહલેખક -વિજય શાહ હ્યુસ્ટન)
- કેલિફોર્નિયામાં બેઠક ના ઉપક્રમે છિન્ન અને એષા ખુલ્લી કિતાબ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
- ૨૦૨૦થી વેબ ગુર્જરીમાં ગદ્ય વિભાગનું સંચાલન સંભાળે છે.
-રાજુલ કૌશિકના બ્લોગ ‘રાજુલનું મનોજગત’ -http://www.rajul54.wordpress.com પર વાર્તા, નવલિકા, લઘુ નવલકથા તેમજ, હકારાત્મક અભિગમ, કવિતા શબ્દોની સરિતા, પત્રાવળી, પ્રવાસ વર્ણન, સદાબહાર સૂર, ફિલ્મ રિવ્યુ જેવા વિવિધ લેખો દસ અલગ અલગ કેટેગરીમાં મૂકાયા છે.
આદર્શ અમદાવાદની પત્રિકામાં પ્રસિદ્ધ લેખ “ચિંતનકણિકા” જે ‘સંવર્ધન માતૃભાષાનું’ ગ્રંથમાં સમાવેશ પામ્યા છે.
I was suggested this web site via my cousin. I am no longer positive whether this publish is written through him as no one else recognize such targeted approximately my difficulty. You are incredible! Thank you!
Saved as a favorite, I really like your blog!