શનિવાર , તારીખ 19/11/2022 ના રોજ ગુજરાતી વિશ્વકોશ ભવન ખાતે અમેરિકા નિવાસી લેખિકા ગીતા સુભાષ ભટ્ટના પુસ્તક ‘વાત્સલ્યની વેલી’ પુસ્તકનું લોકાર્પણ ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને કવિયત્રી ડૉ. ઉષાબેન ઉપાધ્યાયના હસ્તે થયું. વિદ્વાન વક્તાઓ ભાગ્યેશભાઈ, ઉષા બહેન અને કૃષ્ણ દવેએ આ પુસ્તકની, બાળ ઉછેર અને બાળ શિક્ષણની અગત્યતાની વાતો એમની આગવી શૈલીમાં કરી કાર્યક્રમને રોચક અને જ્ઞાનપ્રદ બનાવ્યો. શ્રી. સુભાષ ભટ્ટે ખૂબ મજેદાર શૈલીમાં વેલીના વાવેતરની વાત કરી અને પ્રાપ્ત થયેલ પ્રતિભાવો સંભળાવ્યા. લોસએન્જલસ સ્થિત લેખિકા ગીતાબહેને ભાવ વિભોર બની આ પુસ્તકની અને સાથે તેમની લેખન સફરની પૂર્વ ભૂમિકા રજૂ કરી. અચલા ફાઉન્ડેશન તરફથી ગીતાબહેન અને સુભાષભાઇને મેનેજિંગ ટ્રસ્ટી મફતભાઈ પટેલના હસ્તે lifetime achievement એવોર્ડ એનાયત થયો ; તો ‘બેઠક’ તરફથી ગીતબહેનને આ પુસ્તકના પ્રાગટ્ય પ્રસંગે પુષ્પગુચ્છ અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા. આ સુંદર કાર્યક્રમનું સંચાલન દધીચિ ઠાકરે કર્યું . ઔડાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જીનીઅર શ્રી અતુલભાઈ પાઠકે આભાર વિધિ કર્યા હતા . ક્રાયક્રમને અંતે સ્વરુચિ ભોજનનું આયોજન થયેલ. પુસ્તક વેચાણની સમગ્ર રકમ અને બેઠક તરફથી મળેલ રોકડ પુરસ્કાર અંધ જન મંડળને અર્પિત કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં
સવા સો જેટલાં સાહિત્યરસિકો, ગણમાન્ય કવિઓ અને સાહિત્યકારોએ હાજરી આપી હતી.
Views: 3593
Read Time:2 Minute, 8 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Related Stories
April 11, 2024