https://youtube.com/shorts/sal_KH9xlJc?feature=share
આજના જમાનામાં રક્તદાન એ મહાદાન કહેવાય છે. એમ કહેવાય છે કે કન્યાદાન પછી રક્તદાન અત્યંત મહત્ત્વનું કહેવાય છે. બ્લડ બેંકમાં રક્તના અભાવને કારણે અનેક દર્દીઓ પોતાની જિંદગી ગુમાવે છે. અત્યારે ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને આ દરમિયાન જ ગાંધીનગરના નિયમિત બ્લડ ડોનર સંજય થોરાતે ૭૫મી વખત બ્લડ ડોનેટ કર્યું હતું.
ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાત ૨૨ વર્ષની વયથી નિયમિત રક્તદાન કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ અમદાવાદના એક થેલેસેમીયા મેજર પેશન્ટને પોતાનું બ્લડ આપે છે. અમદાવાદ વાસણા ખાતે પ્રથમ બ્લડ બેંક ખાતે પોતના વ્હીકલમાં જઈને રક્તદાન કરે છે. તેઓ રક્તદાન માટે મિત્રોને પણ પ્રોત્સાહિત કરે છે અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરે છે.
થેલેસેમીયા મેજર જેવા દર્દીઓને નિયમિત રીતે બ્લડની જરૂર પડે છે એટલે ખાસ તો યુવાનોએ નિયમિત બ્લડ ડોનેટ કરી એક અનોખા દાનનું પૂણ્ય મેળવવું જોઈએ એમ સંજય થોરાતનું માનવું છે. એમણે નિયમિત રીતે રક્તદાન કરી “રક્તદાન મહાદાન” યુક્તિ સાર્થક કરી છે.