હિન્દી સાહિત્ય પરિષદ અમદાવાદની કાર્યકારિણી અને ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી
કાર્યકારિણી પ્રતિનિધિ સભ્યો ની ચૂંટણી તારીખ 30 માર્ચ 2024ના રોજ સાંજે પાંચ વાગ્યે બૃહદ ગુજરાત સંયુકત પરિષદ દિનેશ હોલ પાસે આશ્રમ રોડ અમદાવાદ ખાતે મહા મંત્રી શ્રી હરીશ દ્વિવેદી દ્વારા આયોજિત કરવામાં આવેલ હતી જેમાં પ્રાપ્ત થયેલ ચૂંટણી ઘોષણા પત્ર અનુસાર કાર્યકારિણીની પસંદગી કરવામાં આવી હતી
કાર્યકારિણી અને ટ્રસ્ટી મંડળ ની સંયુકત મિટિંગ તારીખ 27 એપ્રિલ 2024 ના રોજ સાંજે પાંચ વાગ્યે બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ હોલ માં આયોજીત કરવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકારિણી સભ્યો નો પરિચય મહા મંત્રી શ્રી હરીશ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યો. અને નૂતન ભાષા સેતુ પત્રિકા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં તમામ કાર્યકારિણી સભ્યો ડૉ માલતી બેન દુબે અધ્યક્ષા, હરીશ દ્વિવેદી મહા મંત્રી, શંકર ભાઈ પટેલ ઉપાધ્યક્ષ, સંતોષ સૂરાના નૂતન ભાષા સેતુ પત્રિકા ના સંપાદક, કોષાધ્યક્ષ શ્રી રાઠોડ, પ્રબંધ સંપાદક શ્રી શર્મા જી, આંતરરાષ્ટ્રીય કાવ્ય પ્રેમી મંચ તાંઝાનિયાના ગુજરાતના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ, પ્રોફેસર ડૉ ધીરજ વણકર, આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર કાર વિજય તિવારી, પ્રોફેસર ગાયત્રી ગુજરાત વિદ્યાપીઠ, ડૉ નયના બેન ઉપસ્થિત રહ્યા હતા
તમામ સભ્યો એ પોતાનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. આ મિટિંગ માં સંતોષ સુરાના દ્વારા નૂતન ભાષા સેતુ ના આર્થિક ભારણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે કાર્યકારિણી સદસ્ય ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા તથા વિજય તિવારી દ્વારા ઈ પત્રિકા પ્રકાશિત કરવામાં આવે તેમ સૂચન કર્યું હતું. આ બેઠકમાં શ્રી આત્મ પ્રકાશ કુમાર અને શ્રી પવન કુમાર કાર્યકારિણી સભ્યો પોતાની વ્યસ્તતાને કારણે કાર્યક્રમ માં ઉપસ્થિત રહી શક્યા ન હતા.
પત્રિકા માટે આર્થિક સહાય કેન્દ્રિય નિદેશાલયની આગ્રા સંસ્થા દ્વારા ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે તે અંગે ની વિગત પ્રોફેસર ડૉ ધીરજ ભાઈ દ્વારા આપવામાં આવી હતી. આ જવાબદારી પ્રોફેસર ડૉ ધીરજ ભાઈ વણકરને સોંપવામાં આવી હતી
અંતમાં સરસ્વતી વંદના મહા મંત્રી હરીશ દ્વિવેદી દ્વારા રજૂ કરવામાં આવી અને સર્વે સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો
- ડૉ ગુલાબ ચંદ પટેલ,
કાર્યકારિણી સદસ્ય,
હિન્દી સાહિત્ય પરિષદ, અમદાવાદ