સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનનો મુખ્ય હેતુ શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને સંઘની કામગીરીની સમીક્ષા કરવાનો હતો.
અધિવેશન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની 3 શ્રેષ્ઠ શાળાઓના આચાર્યો અને સંચાલકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ નિવૃત્ત થયેલા આચાર્યો અને પ્રતિભાશાળી સંતાનોનું પણ અભિવાદન કરાયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ તકે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર ભાર મૂક્યો હતો અને બોર્ડની પરીક્ષાના સફળ સંચાલન બદલ તમામ આચાર્યોની પ્રશંસા કરી હતી. આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના નવા આયોજન સાથે આ સંમેલન સંપન્ન થયું હતું.