Wadhwan

વઢવાણના કોઠારિયા ખાતે પૂ.વજા ભગતની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ ખાતે આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ-ગૌશાળા પરિવાર દ્વારા પ.પૂ. શ્રી વજા ભગતની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા.૧૧ એપ્રિલ થી તા.૧૭ એપ્રિલ સુધી યોજાશે. સપ્તાહ દરમિયાન પ્રખ્યાત કથાકાર જીજ્ઞેશદાદા દ્વારા સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન પોથીયાત્રા, શોભાયાત્રા, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, વામન જન્મોત્સવ, ગિરિરાજ ઉત્સવ તથા રુક્મિણી વિવાહ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ મહાપ્રસાદ તેમજ રાત્રે લોક ડાયરો, રાસ-ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગે રાજ્યભરના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે, જેમાં દુધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર પૂ.કનીરામ બાપુ, લઘુ મહંત પૂ. નાગરદાસ બાપુ, કોઠારી પૂ. મુકુંદરામ બાપુ તથા દુધઈ વડવાળા મંદિરના પૂ. રામબાલક દાસ બાપુ સહિતના સંતો મહંતો અને મહાનુભાવો હાજરી આપશે. આ આયોજનને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

hellogujaratnews24x7@gmail.com

Share
Published by
hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર LCB પોલીસે આણંદપુર ગામની સીમમાં વાડીના ખાડામાં દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર LCB પોલીસે…

20 minutes ago

જોરાવરનગર પોલીસે અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પરથી રૂ.95.94 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પર વસ્તડી ગામ નજીક ચેકિંગ…

19 hours ago

ચોટીલા તાલુકામાં સ્થાનિક ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પડ્યો ફટકો

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં…

22 hours ago

સુરેન્દ્રનગર LCB પોલીસ દ્વારા ધ્રાંગધ્રા હાઈવે પર થી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર ઝડપાઈ

સુરેન્દ્રનગર જીલ્લા LCB ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન માલવણ…

2 days ago

બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સહિત રૂ.૪૭.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને…

2 days ago

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પુનમને દિવસે અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર…

3 days ago