સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સવાર થી રાત સુધીમાં લાખોની સંખ્યામાં ભક્તોને ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા.
ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ચામુંડા માતાજીના દર્શનાર્થે બારે મહિના ભક્તોની ભીડ જોવા મળે છે. જેમાં ખાસ કરીને રવિવાર, પુનમ અને નવરાત્રીના દિવસો દરમિયાન સૌથી વધુ ભક્તોની ભીડ ઉમટી પડે છે. ત્યારે ચૈત્રી પુનમને દિવસે સવાર થી ભક્તોનું ઘોડાપુર ચામુંડા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. ચૈત્રી પૂનમ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા ચૌદસ અને પૂનમ બે દિવસ દરમિયાન ભોજનાલયમાં ભોજન પ્રસાદના સમયમાં ફેરફાર કરી સવારે ૯:૦૦ વાગ્યા થી રાત્રી ના ૯:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીનો ભોજન રૂપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા અને આટલી ભીડ હોવા છતાં કોઈ પણ અનિચ્છનીય બનાવ નહી બનતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે રાહત શ્વાસ લીધો હતો. જ્યારે બીજી બાજુ મહેસાણા, વિરમગામ, કડી, કલોલ, બહુચરાજી, સાબરકાંઠા, ગોધરા સહિતના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં પગપાળા સંઘ, પદયાત્રીઓ ઉમટી પડ્યાં હતા અને ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એક અંદાજ મુજબ ચૈત્રી પુનમને દિવસે રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…