સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સવાર થી રાત સુધીમાં લાખોની સંખ્યામાં ભક્તોને ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા.
ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ચામુંડા માતાજીના દર્શનાર્થે બારે મહિના ભક્તોની ભીડ જોવા મળે છે. જેમાં ખાસ કરીને રવિવાર, પુનમ અને નવરાત્રીના દિવસો દરમિયાન સૌથી વધુ ભક્તોની ભીડ ઉમટી પડે છે. ત્યારે ચૈત્રી પુનમને દિવસે સવાર થી ભક્તોનું ઘોડાપુર ચામુંડા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. ચૈત્રી પૂનમ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા ચૌદસ અને પૂનમ બે દિવસ દરમિયાન ભોજનાલયમાં ભોજન પ્રસાદના સમયમાં ફેરફાર કરી સવારે ૯:૦૦ વાગ્યા થી રાત્રી ના ૯:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીનો ભોજન રૂપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા અને આટલી ભીડ હોવા છતાં કોઈ પણ અનિચ્છનીય બનાવ નહી બનતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે રાહત શ્વાસ લીધો હતો. જ્યારે બીજી બાજુ મહેસાણા, વિરમગામ, કડી, કલોલ, બહુચરાજી, સાબરકાંઠા, ગોધરા સહિતના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં પગપાળા સંઘ, પદયાત્રીઓ ઉમટી પડ્યાં હતા અને ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એક અંદાજ મુજબ ચૈત્રી પુનમને દિવસે રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સુરેન્દ્રનગર, તા.૨૦ સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી…
સમગ્ર ગુજરાતમાં તા.20 મે ને બુધવારના રોજ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે.…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓ અને પોલીસ ટીમોની રેકી કરી ભૂમાફિયાઓને માહિતી પહોંચાડતા બાતમીદારો…
સુરેન્દ્રનગર, તા.૧૬ મે ૨૦૨૬, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં…
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે મોટી કાર્યવાહી…
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે…