સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આણંદપુર પોલીસ મથકની હદમાં આણંદપુર ગામની સીમમાં થી ઈંગ્લીશ દારૂ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો જ્યારે હાજર મળી નહિ આવેલ શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ LCB પોલીસે ચોટીલા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે આણંદપુર ગામની સીમમાં આવેલ વાડી પાસે જમીનમાં ખાડો કરીને દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂની નાની બોટલો નંગ ૨૧૬૦ કિંમત રૂ.૫,૯૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે રેઇડ દરમિયાન હાજર મળી નહિ આવેલ શખ્સ સાહિલભાઈ ઇદ્રિશભાઈ ભટ્ટી, રહે.આણંદપુર વાળા સામે સ્થાનિક પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર કામગીરીમાં LCB પી.આઈ. જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એન.એ.રાયમા સહિત સ્ટાફના પ્રવિણભાઈ કોલા, દેવરાજભાઈ જોગરાજીયા, વજાભાઈ સાનિયા, મેહુલભાઈ મકવાણા સહિતનાઓ જોડાયા હતા.
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…