Dhrangadhra

સુરેન્દ્રનગર LCB પોલીસ દ્વારા ધ્રાંગધ્રા હાઈવે પર થી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર ઝડપાઈ

સુરેન્દ્રનગર જીલ્લા LCB ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન માલવણ તરફથી આવતી એક કારમાં ઈંગ્લીશ દારૂ હોવાની બાતમીના આધારે હાઈવે પર કુડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં કાર નીકળતા તેને રોકતા કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવી નાશી છૂટવાનો પ્રયાસ કરતા કારનો ફિલ્મી ઢબે પીછો કરી કુડા ચોકડી પાસે કારને રોકી હતી.
જેમાં સવાર ત્રણ શખ્સો પોલીસને જોઈને કાર મુકી નાશી છુટયા હતા ત્યારબાદ કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની નાની બોટલ ૨૪૪૮ નંગ કિંમત રૂ.૫,૩૨,૧૨૮ તથા કાર કિંમત રૂ.૪,૦૦,૦૦૦ સહિત ફૂલ રૂ.૯,૩૨,૧૨૮નો મુદામાલ કબજે કર્યો હતો અને નાશી છૂટેલ શખ્સ રાહુલ ઉર્ફે ભૂરો રમેશભાઈ મહાલિયા, બે અજાણ્યા શખ્સો તથા કાર માલિક અને ઈંગ્લીશ દારૂ મોકલનાર સહિત પાંચ શખ્સો વિરુધ પોલીસે મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં LCB પી.આઈ. જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એન.એ.રાયમા સહિત સ્ટાફના આસલમખાન મલેક, દશરથભાઈ ધાંધર, સંજયભાઈ પાઠક, પ્રતાપભાઈ ખાચર સહિતનાઓ જોડાયા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

8 hours ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

1 week ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

2 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

2 weeks ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

3 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…

4 weeks ago