લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દલસુખભાઈ ખાંડલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં દેશભક્તિ ગીતો, ખેડૂત જાગૃતિ લાવતા કાર્યક્રમો અને ભક્તિમય પ્રસ્તુતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
ખાસ કરીને ‘પરશુરામ અને જનકરાજાનો સ્વયંવર’ પર આધારિત કૃતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓના કલા કૌશલ્યના ગ્રામજનો તથા વાલીઓ દ્વારા ભારોભાર વખાણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો…
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન…