સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનનો મુખ્ય હેતુ શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને સંઘની કામગીરીની સમીક્ષા કરવાનો હતો.
અધિવેશન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની 3 શ્રેષ્ઠ શાળાઓના આચાર્યો અને સંચાલકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ નિવૃત્ત થયેલા આચાર્યો અને પ્રતિભાશાળી સંતાનોનું પણ અભિવાદન કરાયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ તકે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર ભાર મૂક્યો હતો અને બોર્ડની પરીક્ષાના સફળ સંચાલન બદલ તમામ આચાર્યોની પ્રશંસા કરી હતી. આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના નવા આયોજન સાથે આ સંમેલન સંપન્ન થયું હતું.
સુરેન્દ્રનગર, તા.૧૬ મે ૨૦૨૬, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં…
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે મોટી કાર્યવાહી…
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે…
ચુડા તાલુકાના નાગનેશ ગામની સીમમાં છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી દીપડો દેખાવાથી સ્થાનિક…
હન્ટા વાયરસ શું છે ? Hantavirus Infection એ ઉંદર અને અન્ય રોડન્ટ પ્રાણીઓ દ્વારા ફેલાતો…
ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપીને…