સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનનો મુખ્ય હેતુ શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને સંઘની કામગીરીની સમીક્ષા કરવાનો હતો.
અધિવેશન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની 3 શ્રેષ્ઠ શાળાઓના આચાર્યો અને સંચાલકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ નિવૃત્ત થયેલા આચાર્યો અને પ્રતિભાશાળી સંતાનોનું પણ અભિવાદન કરાયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ તકે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર ભાર મૂક્યો હતો અને બોર્ડની પરીક્ષાના સફળ સંચાલન બદલ તમામ આચાર્યોની પ્રશંસા કરી હતી. આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના નવા આયોજન સાથે આ સંમેલન સંપન્ન થયું હતું.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…