સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં જ સીંગતેલના ભાવમાં રૂ. 30 અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 230નો તોતિંગ વધારો ઝીંકાયો છે.
આ ભાવ વધારાને કારણે હાલ સીંગતેલનો ડબ્બો રૂ. 2730 અને કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2610 પર પહોંચી ગયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, પાછોતરા વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અને બજારમાં માલની અછતને કારણે ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં માસિક અંદાજે 25,000 ડબ્બાનું વેચાણ થાય છે, જેના કારણે આ ભાવ વધારાથી પ્રજા પર માસિક રૂ. 65 લાખનું વધારાનું આર્થિક ભારણ આવશે.
છેલ્લા 5 મહિનામાં કુલ 5 વખત ભાવ વધારો થતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુદ્ધની સ્થિતિને કારણે વિદેશી તેલની આવકમાં ઘટાડો થતા સ્થાનિક બજારોમાં પણ તેની સીધી અસર વર્તાઈ રહી છે.
સુરેન્દ્રનગર, તા.૧૬ મે ૨૦૨૬, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં…
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે મોટી કાર્યવાહી…
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે…
ચુડા તાલુકાના નાગનેશ ગામની સીમમાં છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી દીપડો દેખાવાથી સ્થાનિક…
હન્ટા વાયરસ શું છે ? Hantavirus Infection એ ઉંદર અને અન્ય રોડન્ટ પ્રાણીઓ દ્વારા ફેલાતો…
ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપીને…