leopard Attack Songadh Vilage in Thangad
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. રહેણાંક વિસ્તારની નજીક આવેલા પશુઓના વાડામાં દીપડાએ બે વાછરડાઓને પોતાનું નિશાન બનાવ્યા હતા.
આ આકસ્મિક હુમલામાં એક વાછરડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વાછરડું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક સ્થાનિક પશુ ચિકિત્સકને બોલાવી ઇજાગ્રસ્ત વાછરડાની સારવાર શરૂ કરાવી હતી.
સોનગઢ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર અને હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે, જેને લઈને પશુપાલકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક અસરથી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની અને યોગ્ય પગલાં લેવાની ઉગ્ર માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાન-માલની હાનિ નિવારી શકાય.
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…
ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા…