Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘનું દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન: શ્રેષ્ઠ શાળાઓ અને આચાર્યોનું સન્માન

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનનો મુખ્ય હેતુ શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને સંઘની કામગીરીની સમીક્ષા કરવાનો હતો.

અધિવેશન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની 3 શ્રેષ્ઠ શાળાઓના આચાર્યો અને સંચાલકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સાથે જ નિવૃત્ત થયેલા આચાર્યો અને પ્રતિભાશાળી સંતાનોનું પણ અભિવાદન કરાયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ તકે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર ભાર મૂક્યો હતો અને બોર્ડની પરીક્ષાના સફળ સંચાલન બદલ તમામ આચાર્યોની પ્રશંસા કરી હતી. આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના નવા આયોજન સાથે આ સંમેલન સંપન્ન થયું હતું.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

થાનગઢના સોનગઢ ગામમાં ફરી દીપડાનો આતંક: બે વાછરડા પર હુમલો, એકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો…

3 hours ago

લીયાદ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો

લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય…

4 hours ago

ખાદ્યતેલમાં કમરતોડ મોંઘવારી: સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા…

4 hours ago