લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દલસુખભાઈ ખાંડલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં દેશભક્તિ ગીતો, ખેડૂત જાગૃતિ લાવતા કાર્યક્રમો અને ભક્તિમય પ્રસ્તુતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
ખાસ કરીને ‘પરશુરામ અને જનકરાજાનો સ્વયંવર’ પર આધારિત કૃતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓના કલા કૌશલ્યના ગ્રામજનો તથા વાલીઓ દ્વારા ભારોભાર વખાણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…
ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા…