લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દલસુખભાઈ ખાંડલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં દેશભક્તિ ગીતો, ખેડૂત જાગૃતિ લાવતા કાર્યક્રમો અને ભક્તિમય પ્રસ્તુતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
ખાસ કરીને ‘પરશુરામ અને જનકરાજાનો સ્વયંવર’ પર આધારિત કૃતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓના કલા કૌશલ્યના ગ્રામજનો તથા વાલીઓ દ્વારા ભારોભાર વખાણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સુરેન્દ્રનગર, તા.૧૬ મે ૨૦૨૬, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં…
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે મોટી કાર્યવાહી…
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે…
ચુડા તાલુકાના નાગનેશ ગામની સીમમાં છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી દીપડો દેખાવાથી સ્થાનિક…
હન્ટા વાયરસ શું છે ? Hantavirus Infection એ ઉંદર અને અન્ય રોડન્ટ પ્રાણીઓ દ્વારા ફેલાતો…
ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપીને…