સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોની મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે પરંતુ અગાઉ પાલિકાના શાસન વખત થી અમુક વિસ્તારોમાં હલકી ગુણવત્તાના કામો થયા હોવાથી આજે પણ સ્થાનિક રહીશોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે મહાનગરપાલિકાની હદમાં આવેલ સરદાર સોસાયટી, જવાહર ગ્રાઉન્ડ આસપાસ આવેલ રહેણાંક વિસ્તારોમાં જે તે સમયે પાણીની પાઈપલાઈન યોગ્ય રીતે તેમજ લેવલ વગર નાખવામાં નહીં આવી હોવાથી અને હલકી ગુણવત્તાની કામગીરીને કારણે અવાર નવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સહિતના બનાવો બન્યા કરે છે. ત્યારે ફરી સરદાર સોસાયટી પાસે જવાહર ગ્રાઉન્ડ નજીક મનપાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા ભર ઉનાળે ચોમાસા જેવો નજારો જોવા મળ્યો હતો અને રસ્તા પર પાણીનો વેડફાટ થતા મનપા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ લોકોને નિયમિત અને પૂરતું પાણી વિતરણ કરવામાં નથી આવતું ત્યારે બીજી બાજુ મનપા તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
