સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સવાર થી રાત સુધીમાં લાખોની સંખ્યામાં ભક્તોને ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા.
ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ચામુંડા માતાજીના દર્શનાર્થે બારે મહિના ભક્તોની ભીડ જોવા મળે છે. જેમાં ખાસ કરીને રવિવાર, પુનમ અને નવરાત્રીના દિવસો દરમિયાન સૌથી વધુ ભક્તોની ભીડ ઉમટી પડે છે. ત્યારે ચૈત્રી પુનમને દિવસે સવાર થી ભક્તોનું ઘોડાપુર ચામુંડા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. ચૈત્રી પૂનમ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા ચૌદસ અને પૂનમ બે દિવસ દરમિયાન ભોજનાલયમાં ભોજન પ્રસાદના સમયમાં ફેરફાર કરી સવારે ૯:૦૦ વાગ્યા થી રાત્રી ના ૯:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીનો ભોજન રૂપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા અને આટલી ભીડ હોવા છતાં કોઈ પણ અનિચ્છનીય બનાવ નહી બનતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે રાહત શ્વાસ લીધો હતો. જ્યારે બીજી બાજુ મહેસાણા, વિરમગામ, કડી, કલોલ, બહુચરાજી, સાબરકાંઠા, ગોધરા સહિતના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં પગપાળા સંઘ, પદયાત્રીઓ ઉમટી પડ્યાં હતા અને ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એક અંદાજ મુજબ ચૈત્રી પુનમને દિવસે રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો…
લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન…