Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

hellogujaratnews24x7@gmail.com September 14, 2026
file_00000000a8ec820bb38caa52405394a5

સુરેન્દ્રનગર, તા.૧૪

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી માહોલ વચ્ચે રાજકીય મહાનુભાવો દ્વારા ત્રીનેત્રેશ્વર મહાદેવની પુજા, અર્ચના અને આરતી કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ થાન તાલુકાના તરણેતર ખાતે તા.૧૪ થી ૧૭ સપ્ટેમ્બર સુધી યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ લોકમેળાને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતનાઓ દ્વારા ત્રીનેત્રેશ્વર મહાદેવની પુજા અને અર્ચના કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં તરણેતરના મેળામાં મુલાકાત લે છે આ મેળાના માધ્યમથી સ્થાનિક કલાકારોની કળા અને કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તેમજ મેળામાં ગ્રામીણ ઓલમ્પિક, લુપ્ત થતી પરંપરાગત રમતો, અલગ-અલગ વેશભૂષાની હરીફાઈઓ તેમજ ડાકલા, મંજીરા અને ડમરુ વાદકો જેવા પરંપરાગત કલાકારોની સ્પર્ધાઓ યોજાય છે. આ ઉપરાંત શ્રેષ્ઠ ઓલાદના પશુઓની હરીફાઈ પણ યોજવામાં આવે છે મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને લોકોની સુરક્ષા માટે જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસ વડાની સમગ્ર ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. વરસાદ બાદ મેળાનો ઉત્સાહપૂર્વક આનંદ માણવા મહાનુભાવો દ્વારા અપીલ કરી હતી અને ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આ તકે જીલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જીલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા સહિતના મહાનુભાવો, આગેવાનો, અધિકારીઓ તેમજ મેળા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

– Viren Dangrecha.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

Related News

leopard-attack-thangad-songadh

થાનગઢના સોનગઢ ગામમાં ફરી દીપડાનો આતંક: બે વાછરડા પર હુમલો, એકનું મોત

hellogujaratnews24x7@gmail.com April 1, 2026

Recent Posts

  • વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…
  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

Recent Comments

No comments to show.

Archives

  • September 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000a8ec820bb38caa52405394a5

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

hellogujaratnews24x7@gmail.com September 14, 2026
file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.