વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ ખાતે આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ-ગૌશાળા પરિવાર દ્વારા પ.પૂ. શ્રી વજા ભગતની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા.૧૧ એપ્રિલ થી તા.૧૭ એપ્રિલ સુધી યોજાશે. સપ્તાહ દરમિયાન પ્રખ્યાત કથાકાર જીજ્ઞેશદાદા દ્વારા સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન પોથીયાત્રા, શોભાયાત્રા, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, વામન જન્મોત્સવ, ગિરિરાજ ઉત્સવ તથા રુક્મિણી વિવાહ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ મહાપ્રસાદ તેમજ રાત્રે લોક ડાયરો, રાસ-ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગે રાજ્યભરના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે, જેમાં દુધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર પૂ.કનીરામ બાપુ, લઘુ મહંત પૂ. નાગરદાસ બાપુ, કોઠારી પૂ. મુકુંદરામ બાપુ તથા દુધઈ વડવાળા મંદિરના પૂ. રામબાલક દાસ બાપુ સહિતના સંતો મહંતો અને મહાનુભાવો હાજરી આપશે. આ આયોજનને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.