વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે આગામી તા.૨૦ એપ્રિલને સોમવારના રોજ દર વર્ષની પરંપરા મુજબ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રચના કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગલા આરતી, સવારે ૭:૦૦ કલાકે અભિષેક, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧૨:૦૦ કલાકે મહાઆરતી અને ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, શ્રીંગાર ઝાંખી જેવા આકર્ષક કાર્યક્રમો પણ યોજાશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રામાશ્રયદાસજી બાપુ સહિત સેવક ગણ દ્વારા ભારે તત્પરતા સાથે તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે મંદિર તરફથી તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પવિત્ર મહોત્સવમાં હાજરી આપી ધર્મલાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
