સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસ દ્વારા પોતાનું મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરવામાં આવ્યું છે. મેનીફેસ્ટોમાં શહેરના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વચનો મુજબ, દરેક વોર્ડમાં વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શાળાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની યોજના રજૂ કરવામાં આવી છે. ઉપરાંત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સુરક્ષિત અને એ.સી. સુવિધાઓ સાથે હોસ્ટેલોના નિર્માણની જાહેરાત પણ કરવામાં આવી છે.આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે દરેક વોર્ડમાં એક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની વાત કરવામાં આવી છે. તેમજ શહેરના યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા માટે દરેક ઝોનમાં મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાં આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરી શરૂ કરવાની જાહેરાત પણ મેનીફેસ્ટોમાં સામેલ કરવામાં આવી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે મહાનગરપાલિકામાં તેમની જીત થાય તો શહેરના નાગરિકોને શિક્ષણ, આરોગ્ય સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, કોંગ્રેસના પ્રભારી ધર્મેન્દ્રસિંહ પરમાર, પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઈ સોલંકી, જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરણાબેન જાની, આદમભાઈ જામ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…
“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…
સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર, તા.૨૦ સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી…
સમગ્ર ગુજરાતમાં તા.20 મે ને બુધવારના રોજ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે.…