Surendranagar

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તમામ સુવિધાઓ સાથે મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરાયું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસ દ્વારા પોતાનું મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરવામાં આવ્યું છે. મેનીફેસ્ટોમાં શહેરના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વચનો મુજબ, દરેક વોર્ડમાં વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શાળાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની યોજના રજૂ કરવામાં આવી છે. ઉપરાંત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સુરક્ષિત અને એ.સી. સુવિધાઓ સાથે હોસ્ટેલોના નિર્માણની જાહેરાત પણ કરવામાં આવી છે.આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે દરેક વોર્ડમાં એક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની વાત કરવામાં આવી છે. તેમજ શહેરના યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા માટે દરેક ઝોનમાં મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાં આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરી શરૂ કરવાની જાહેરાત પણ મેનીફેસ્ટોમાં સામેલ કરવામાં આવી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે મહાનગરપાલિકામાં તેમની જીત થાય તો શહેરના નાગરિકોને શિક્ષણ, આરોગ્ય સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, કોંગ્રેસના પ્રભારી ધર્મેન્દ્રસિંહ પરમાર, પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઈ સોલંકી, જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરણાબેન જાની, આદમભાઈ જામ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 days ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

4 weeks ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago