Surendranagar

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ મુખ્ય આરોપી એવા સુરેન્દ્રનગરના તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલની વધુ એક જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં જમીન એન.એ.કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા ગત ડિસેમ્બર ૨૦૨૫માં રેઇડ કર્યા બાદ તપાસ હાથ ધરી હતી. જેમાં તત્કાલીન પુર્વ કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, તત્કાલીન પી.એ. જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સહિતનાઓની સંડોવણી બહાર આવી હતી. તેમજ અંદાજે ૧૫૦૦ થી વધુ જમીન કૌભાંડમાં લાંચની રકમનો ૫૦% હિસ્સો તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, ૨૫% તત્કાલીન અધિક નિવાસી કલેક્ટર આર.કે.ઓઝા, ૧૦% તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને બાકીની રકમ અન્ય અધિકારીઓ સુધી પહોંચતી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર ACB કચેરીમાં પણ ઈ.ડી. દ્વારા તત્કાલીન કલેકટર સહિતનાઓ સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે ઈ.ડી. દ્વારા તત્કાલીન પુર્વ કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની તેમના સરકારી બંગલામાંથી ઘરપકડ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં અંદાજે ૧૦ કરોડથી વધુ રકમની લાંચ લીધી હોવાનું પણ બહાર આવ્યું હતું. જે મામલે સજા ભોગવી રહેલ તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના વકીલ દ્વારા જમીન અરજી રજૂ કરવામાં આવી હતી જે હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે અને ઈ.ડી. દ્વારા રજૂ કરેલ દલીલ મુજબ પુર્વ કલેકટરના મોબાઈલમાંથી ૮૦૦ થી વધુ ફોટા મળી આવ્યા છે અને પોતાના બચાવ અને પુરાવાનો નાશ કરવા માટે ગુગલ પર પોતાનો સેમસંગ એસ-૨૪ અલ્ટ્રા મોબાઇલ કેવી રીતે રીસેટ કરવો તે સર્ચ પણ માર્યું હોવાનું જણાવ્યું હતું તેમજ લાંચની રકમના વહિવટ પર પણ તેઓ સીધી જ નજર રાખતા હતા. જયારે પૂર્વ કલેકટરની જામીન અરજીમાં તેઓની તબિયત સારી નહી હોવાનું, મુખ્ય ગુન્હામાં હજુ ચાર્જશીટ દાખલ નથી કરી, અન્ય સહ આરોપીઓની ધરપકડ નથી કરી વગેરે બાબતોનો ઉલ્લેખ કરી જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવતા જમીન કૌભાંડ મામલે હજુ પુર્વ કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલને જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 weeks ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

4 weeks ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

1 month ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

2 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

2 months ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

2 months ago