Surendranagar

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ મુખ્ય આરોપી એવા સુરેન્દ્રનગરના તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલની વધુ એક જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં જમીન એન.એ.કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા ગત ડિસેમ્બર ૨૦૨૫માં રેઇડ કર્યા બાદ તપાસ હાથ ધરી હતી. જેમાં તત્કાલીન પુર્વ કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, તત્કાલીન પી.એ. જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સહિતનાઓની સંડોવણી બહાર આવી હતી. તેમજ અંદાજે ૧૫૦૦ થી વધુ જમીન કૌભાંડમાં લાંચની રકમનો ૫૦% હિસ્સો તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, ૨૫% તત્કાલીન અધિક નિવાસી કલેક્ટર આર.કે.ઓઝા, ૧૦% તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને બાકીની રકમ અન્ય અધિકારીઓ સુધી પહોંચતી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર ACB કચેરીમાં પણ ઈ.ડી. દ્વારા તત્કાલીન કલેકટર સહિતનાઓ સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે ઈ.ડી. દ્વારા તત્કાલીન પુર્વ કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની તેમના સરકારી બંગલામાંથી ઘરપકડ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં અંદાજે ૧૦ કરોડથી વધુ રકમની લાંચ લીધી હોવાનું પણ બહાર આવ્યું હતું. જે મામલે સજા ભોગવી રહેલ તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના વકીલ દ્વારા જમીન અરજી રજૂ કરવામાં આવી હતી જે હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે અને ઈ.ડી. દ્વારા રજૂ કરેલ દલીલ મુજબ પુર્વ કલેકટરના મોબાઈલમાંથી ૮૦૦ થી વધુ ફોટા મળી આવ્યા છે અને પોતાના બચાવ અને પુરાવાનો નાશ કરવા માટે ગુગલ પર પોતાનો સેમસંગ એસ-૨૪ અલ્ટ્રા મોબાઇલ કેવી રીતે રીસેટ કરવો તે સર્ચ પણ માર્યું હોવાનું જણાવ્યું હતું તેમજ લાંચની રકમના વહિવટ પર પણ તેઓ સીધી જ નજર રાખતા હતા. જયારે પૂર્વ કલેકટરની જામીન અરજીમાં તેઓની તબિયત સારી નહી હોવાનું, મુખ્ય ગુન્હામાં હજુ ચાર્જશીટ દાખલ નથી કરી, અન્ય સહ આરોપીઓની ધરપકડ નથી કરી વગેરે બાબતોનો ઉલ્લેખ કરી જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવતા જમીન કૌભાંડ મામલે હજુ પુર્વ કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલને જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

1 week ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

1 week ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…

3 weeks ago

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા…

3 weeks ago

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…

ધ્રાંગધ્રા : તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલ વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીના વિરોધમાં…

4 weeks ago