દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક મહિનાથી અગરિયાઓ દ્વારા વિરોધ કરી સરકાર સામે લડત આપવા છતા પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે આ મામલે અગરિયાઓ દ્વારા કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં પાટડી પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સરકારની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપની દ્વારા ખારાઘોડા અને દેગામ રણ વિસ્તારની અંદાજે ૫,૦૦૦ એકર સરકારી જમીન પદ્મનાભ બ્રોકેમ એલએલપી કંપનીને ભાડાપટ્ટે આપવામાં આવી છે. જેમાં હેતુફેર, પર્યાવરણીય ભંગ અને નાણાકીય ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે અગાઉ થોડા દિવસો પહેલા કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જીલ્લા કલેક્ટર સહિત, વન પર્યાવરણ, વાઇલ્ડ લાઈફ, દિલ્હી વીજીલન્સ કમિશન સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી હતી. તેમ છતાંય આગળ કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા પાટડી પ્રાંત કચેરી ખાતે અગરિયાઓ દ્વારા ધરણા યોજી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે પૂર્વ ધારાસભ્ય અને અગરિયા આગેવાન દ્વારા જણાવ્યા મુજબ કંપની દ્વારા સોલાર એનર્જી અને બ્રોમાઈન પ્રોજેક્ટ માટે અંદાજે ૫૦૦૦ એકર જમીન ભાડાપટ્ટે લીધા બાદ હાલ રણમાં ગેરકાયદેસર ઊંચા પાળા બાંધવામાં આવી રહ્યા છે. જેના કારણે ૪૦૦ થી વધુ પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓના રસ્તાઓ અને કુદરતી પ્રવાહ રોકાઈ જવાની ભીતિ ઉભી થઈ છે તેમજ કંપની દ્વારા અહીં મીઠું અને સોલાર એનર્જી ઉત્પાદન કરી વાર્ષિક અંદાજે રૂ.૪૫૦ થી રૂ.૫૫૦ કરોડ જેટલી કમાણી કરવાનો અંદાજ છે. આ જમીન સરકાર દ્વારા માત્ર મીઠાના ઉત્પાદન માટે જ ફાળવવામાં આવી હતી અને સરકારના મહેસુલ વિભાગની મંજુરી વગર અન્ય કોઈને ફાળવી શકાતી નથી છતાં હિન્દુસ્તાન સોલ્ટ કંપની દ્વારા ખાનગી કંપનીને વ્યવસાયિક પ્રવૃતિ માટે ફાળવી અનેક પ્રકારના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આથી જ્યાં સુધી સરકાર દ્વારા કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
– Viren Dangrecha.
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…
ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા…
ધ્રાંગધ્રા : તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલ વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીના વિરોધમાં…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં…