Dt. 18.07.2026.
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે તત્કાલીન પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના તત્કાલીન પી.એ. જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા (નાયબ મામલતદાર) સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ ACB દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન જયરાજસિંહ ઝાલાએ પોતાની કાયદેસરની આવક કરતાં વધુ સંપત્તિ એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં કુલ રૂ. ૧,૩૪,૭૮,૮૨૭ (અંકે રૂપિયા એક કરોડ, ચોત્રીસ લાખ, અઠ્ઠોતેર હજાર, આઠસો સત્તાવીસ)ની અપ્રમાણસર મિલકત વસાવ્યાનું ખુલ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ ફરિયાદ મુજબ આરોપીએ સરકારી હોદ્દાનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરી પોતાના તેમજ સગા-સંબંધીઓના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હતું. તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીએ ૫૩.૬૦ ટકા વધુ અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવતા ACB દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે સુરેન્દ્રનગર જીલ્લાના કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે પુર્વ અને સસ્પેન્ડ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલ હવાલે છે ત્યારે પૂર્વ પી.એ. જયરાજસિંહ ઝાલા સામે અપ્રમાણસર મિલકતનો ગુન્હો નોંધાતા આગામી સમયમાં સમગ્ર કૌભાંડ મામલે નવા જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
– Viren Dangrecha. ( Mo.9825476964. )
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…