Muli

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ પુલ પર મોટું ગાબડું પડતા તંત્રની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે અને આ મામલે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદીમાં આવેલ કોઝવે પર દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા અનેક વખત રજુઆતો બાદ સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં કોઝવેની જગ્યાએ અંદાજે ૦૮ કરોડથી વધુના ખર્ચે ભોગાવો નદીમાં પુલ બનાવવા આવ્યો હતો અને ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત પાંચ થી વધુ ગામોના ગ્રામજનો અને વાહન ચાલકો આ પુલ પર થી અવરજવર કરતા રાહત મળી હતી. પરંતુ તાજેતરમાં પુલ પર અંદાજે ૦૨ ફુટ જેટલું મોટું ગાબડું પડતા તંત્રની નબળી અને હલકી ગુણવતાની કામગીરી સામે આવી છે. માત્ર ૦૪ વર્ષના ટૂંકાગાળામાં જ પુલ પર ગાબડું પડતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.ગોદાવરી ગામની ભોગાવો નદી પરના નવા પુલમાં ગાબડું પડતા ફરી પાંચ થી વધુ ગામોના લોકોના જીવ પર જોખમ ઉભું થયું છે જે મામલે સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિક દ્વારા પુલ પર ગાબડું અંગેના વીડિયો અને તસવીરો વાયરલ કરી તંત્ર અને સરકારને જગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે અને તંત્ર દ્વારા પુલ પર વાહન વ્યવહાર બંધ કરાવી ગાબડાનું તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

-Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

3 weeks ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

1 month ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

2 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

2 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

2 months ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

2 months ago