સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ પુલ પર મોટું ગાબડું પડતા તંત્રની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે અને આ મામલે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદીમાં આવેલ કોઝવે પર દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા અનેક વખત રજુઆતો બાદ સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં કોઝવેની જગ્યાએ અંદાજે ૦૮ કરોડથી વધુના ખર્ચે ભોગાવો નદીમાં પુલ બનાવવા આવ્યો હતો અને ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત પાંચ થી વધુ ગામોના ગ્રામજનો અને વાહન ચાલકો આ પુલ પર થી અવરજવર કરતા રાહત મળી હતી. પરંતુ તાજેતરમાં પુલ પર અંદાજે ૦૨ ફુટ જેટલું મોટું ગાબડું પડતા તંત્રની નબળી અને હલકી ગુણવતાની કામગીરી સામે આવી છે. માત્ર ૦૪ વર્ષના ટૂંકાગાળામાં જ પુલ પર ગાબડું પડતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.ગોદાવરી ગામની ભોગાવો નદી પરના નવા પુલમાં ગાબડું પડતા ફરી પાંચ થી વધુ ગામોના લોકોના જીવ પર જોખમ ઉભું થયું છે જે મામલે સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિક દ્વારા પુલ પર ગાબડું અંગેના વીડિયો અને તસવીરો વાયરલ કરી તંત્ર અને સરકારને જગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે અને તંત્ર દ્વારા પુલ પર વાહન વ્યવહાર બંધ કરાવી ગાબડાનું તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
-Viren Dangrecha.
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…
ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા…