Dhrangadhra

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત ) ૨૦૨૬ના એવોર્ડ સમારંભમાં ભારતની સૌથી બેસ્ટ ફૂડ કોર્ટનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડથી સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા ખાતે અમદાવાદ-કરછ હાઇવે પર હળવદ રોડ પર આવેલ સર જાડેજા હોટલને સન્માનિત કરવામાં આવી છે. જે ધ્રાંગધ્રા તાલુકા સહિત સમગ્ર ગુજરાત માટે પણ ગૌરવવંતી વાત છે. આ સન્માન એ પણ દર્શાવે છે કે ગુજરાતની હાઈવે પરની હોટલોમાં સર જાડેજા હોટલ સર્વિસ અને ગુણવત્તા સહિત સ્વાદની બાબતોમાં સૌથી ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવે છે. સર જાડેજા હોટલના સંસ્થાપક ઉપેન્દ્રસિંહ.જાડેજાના આ નવતર પ્રયોગ તેમજ અદ્યતન વ્યવસાયિક વિચારે હાઇવે ફૂડ ઈન્ડસ્ટ્રીઝની એક નવી વ્યાખ્યા આપી છે. તેમજ જયાં હાઇવે પર નિત નવા ગુણવત્તા અને વૈવિધ્યપૂર્ણ સ્વાદિષ્ટ ફૂડની સાથે સિનેમા, રૂમ્સ, ગેમ ઝોન તેમજ ઈલેક્ટ્રીક કાર ચાર્જીંગ પોઇન્ટની વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાની સુવિધાઓ બધું એક જ સ્થળે ઉપલબ્ધ કરાવીને હાઇવેના પ્રવાસને એક નવી આરામદાયક દિશા આપી છે અને એમના આ સફળ સાહસ બદલ zee bussiness(ઝી બિઝનેસ) પર સર જાડેજાના સંસ્થાપક ઉપેન્દ્રસિંહ જાડેજાનું પોડકાસ્ટ પણ કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લાની હોટલની બેસ્ટ હોટલનો એવોર્ડ પ્રાપ્ત થતા સમગ્ર રાજ્ય સાથે ઝાલાવાડનું પણ ગૌરવ વધાર્યું છે. જે બદલ હોટલના સંસ્થાપક સહિત સમગ્ર સ્ટાફને રાજકીય, સામાજીક આગેવાનો સહિત શહેરીજનોએ અભિનંદન તેમજ શુભેરછાઓ પાઠવી હતી.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

2 hours ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 week ago

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…

2 weeks ago

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા…

2 weeks ago

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…

ધ્રાંગધ્રા : તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલ વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીના વિરોધમાં…

3 weeks ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં…

4 weeks ago