Limbdi

બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સહિત રૂ.૪૭.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ સહિતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ પાણશીણા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. કે.ડી.જાદવ સહિત સ્ટાફના ઈન્દ્રજીતસિંહ રાઠોડ, ભવાનભાઈ બળોલીયા, નિકુલભાઈ ઝાપડીયા, દેવજીભાઈ ખાવડીયા સહિતના સ્ટાફે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં હાઈવે પર દેવપરા ગામના પાટિયા પાસે આવેલ હોટલ રાજખોડલ કૃપા હોટલ પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો ૪૯૫૬ કિંમત રૂ.૩૭.૫૮ લાખ, ટ્રક કિંમત રૂ.૧૦ લાખ, મોબાઈલ સહિત ફુલ રૂ.૪૭.૬૩ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક બાબુસિંગ વસ્તુસિંગ રાજપૂત રહે.રાજસ્થાન વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઝડપાયેલ ટ્રક ચાલક અને હાજર મળી નહિ આવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પુનમને દિવસે અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર…

10 hours ago

સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી

સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં…

21 hours ago

થાનગઢના સોનગઢ ગામમાં ફરી દીપડાનો આતંક: બે વાછરડા પર હુમલો, એકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો…

2 days ago

લીયાદ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો

લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય…

2 days ago

ખાદ્યતેલમાં કમરતોડ મોંઘવારી: સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘનું દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન: શ્રેષ્ઠ શાળાઓ અને આચાર્યોનું સન્માન

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન…

2 days ago