Surendranagar

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી માટે તા.૧૧ જૂનને ગુરુવારના રોજ યોજાનારી બેઠક અંતિમ ક્ષણે મુલતવી રાખવામાં આવતા સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે જ્યારે વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી હજુ પણ બાકી છે જે વરણી સંદર્ભે ગત તા.૦૬ જુનના રોજ બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ તે બેઠક કોઈ કારણોસર સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી તા.૧૧ જુનને ગુરુવારના રોજ જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં ફરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ બેઠક પણ ફરી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી હતી. જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન પદની વરણીને લઈને આંતરિક સ્તરે અસંતોષ અને નારાજગીનો સૂર ઉઠ્યો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે જો કે બેઠક મુલતવી રાખવા અંગે જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોએ કાંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે બીજી બાજુ ચેરમેન પદ માટેના નામો જાહેર થયા બાદ સ્થાનિક ભાજપમાં રહેલ અસંતોષ ખુલ્લેઆમ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આમ વિવિધ સમિતિના ચેરમેનોની વરણી અંગેની બેઠક વારંવાર મુલતવી રાખવામાં આવતા જીલ્લા પંચાયતના રાજકારણમાં અનેક અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે આગામી બેઠક ક્યારે યોજાશે અને ચેરમેનોની વરણી ક્યારે થશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago