Surendranagar

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાતા શંકાસ્પદ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે બનાવ અંગે બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ મહાવીરસિંહ સિંધવ થોડા સમય પહેલાં બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેવા આવ્યો હતો જેમાં સોમવારે મોડી રાત્રે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા કેટલાક લોકો સાથે તેની બોલાચાલી થઈ હતી જે મામલો ઉગ્ર બનતાં મારામારી સુધી પહોંચ્યો હતો અને ઘટનાની જાણ સ્થાનિકોએ ઇમરજન્સી નંબર ૧૧૨ પર કરી હતી. આથી પોલીસ આવવાની જાણ થતાં મહાવીરસિંહ સિંધવ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે દરમિયાન ફ્લેટના ચોથા માળે આવેલ ગેલેરીમાંથી નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેનો પગ લપસતાં તે નીચે પટકાયો હતો જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં બોપલ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટનાની વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. જ્યારે મૃતકની અંતિમયાત્રા મંગળવારે સાંજે તેના વતન ચોકડી ગામ ખાતે કાઢવામાં આવી હતી જેમાં પરિવારજનો, ગ્રામજનો, મિત્રો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહાવીરસિંહ સિંધવ અગાઉ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યો હતો. વર્ષ ૨૦૨૦માં ટીકર ખાતે યોજાયેલા લોકડાયરામાં સ્ટેજ પર ચલણી નોટોનો વરસાદ કરવાના બનાવ બાદ તે રાજ્યભરમાં ચર્ચામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ ૨૦૨૩ દરમિયાન ડ્રગ્સ કાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંડોવણીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત હથિયારની અણીએ લૂંટ ચલાવવાના ગુનામાં પણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી ગામમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. માથાભારે શખ્સ તરીકે ઓળખાતા મહાવીરસિંહ સિંધવના અચાનક થયેલા શંકાસ્પદ મોતને લઈને વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે ઘટનાનું ચોક્કસ કારણ અને તમામ હકીકતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

1 week ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

4 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

1 month ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

1 month ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago