Surendranagar

સુરેન્દ્રનગરના તત્કાલીન ના.મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે ACB માં વધુ એક ફરિયાદ

સુરેન્દ્રનગર ખાતે ગત ડિસેમ્બર ૨૦૨૫માં ઈ.ડી.ની રેઇડ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંદાજે રૂ.૧૫૦૦ કરોડ થી વધુનું જમીન એન.એ.કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે તત્કાલિન જીલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, તત્કાલીન કલાર્ક મયુરસિંહ ગોહિલ અને તત્કાલીન કલેક્ટરના પી.એ.જયરાજસિંહ ઝાલા સામે ગુન્હો નોંધાયો હતો. જે સમગ્ર ગુન્હાની તપાસ સુરેન્દ્રનગર ACB ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને વધુ તપાસ દરમિયાન એપ્રિલ ૨૦૧૩ થી ડિસેમ્બર-૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ચંદ્રસિંહ મોરી દ્વારા ગેરકાયદેસર રીતે રૂ.૧,૨૨,૨૭,૬૫૮ (રૂ.૧.૨૨ કરોડ થી વધુ) એટલે કે ૫૬.૮૯% જેટલી વધુ અપ્રમાણસર મિલકતો પોતાના તથા પરિવારજનોના નામે વસાવેલ હોવાનું બહાર આવતા સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે વધુ એક ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ કરોડો રૂપિયાના જમીન એન.એ. કૌભાંડમાં હાલ જેલ હવાલે છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…

7 hours ago

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…

1 day ago

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…

3 days ago

સુરેન્દ્રનગર શહેરમાં ASP, પોલીસ અને PGVCL ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન રૂ.1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ…

સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…

4 days ago

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડુત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી નવી રાહ ચીંધી…

સુરેન્દ્રનગર, તા.૨૦ સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી…

5 days ago

સુરેન્દ્રનગર જીલ્લાના ૪૦૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ તા.20 મે ને બુધવારના રોજ બંધ રાખી વિરોધ કરશે.

સમગ્ર ગુજરાતમાં તા.20 મે ને બુધવારના રોજ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે.…

5 days ago