Surendranagar

સુરેન્દ્રનગરના તત્કાલીન ના.મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે ACB માં વધુ એક ફરિયાદ

સુરેન્દ્રનગર ખાતે ગત ડિસેમ્બર ૨૦૨૫માં ઈ.ડી.ની રેઇડ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંદાજે રૂ.૧૫૦૦ કરોડ થી વધુનું જમીન એન.એ.કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે તત્કાલિન જીલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, તત્કાલીન કલાર્ક મયુરસિંહ ગોહિલ અને તત્કાલીન કલેક્ટરના પી.એ.જયરાજસિંહ ઝાલા સામે ગુન્હો નોંધાયો હતો. જે સમગ્ર ગુન્હાની તપાસ સુરેન્દ્રનગર ACB ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને વધુ તપાસ દરમિયાન એપ્રિલ ૨૦૧૩ થી ડિસેમ્બર-૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ચંદ્રસિંહ મોરી દ્વારા ગેરકાયદેસર રીતે રૂ.૧,૨૨,૨૭,૬૫૮ (રૂ.૧.૨૨ કરોડ થી વધુ) એટલે કે ૫૬.૮૯% જેટલી વધુ અપ્રમાણસર મિલકતો પોતાના તથા પરિવારજનોના નામે વસાવેલ હોવાનું બહાર આવતા સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે વધુ એક ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ કરોડો રૂપિયાના જમીન એન.એ. કૌભાંડમાં હાલ જેલ હવાલે છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

1 day ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

4 weeks ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago