Categories: Surendranagar

લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાન સહિત ૫૦ થી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપમાં ગાબડું પડ્યું છે. લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાનએ પોતાના અંદાજે ૫૦થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે.જે અંગે મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાન તેજાભાઇ મેટાલિયા અને અંદાજે ૫૦ થી વધુ કાર્યકરોએ ભાજપને રામરામ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ તકે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં અને અગાઉ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ ભાજપમાંથી જીતી ચૂક્યા હોવા છતાં ભાજપ પક્ષ દ્વારા જુના અને અનુભવી કાર્યકર્તાઓને અન્યાય થતો હોવાથી કોંગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યું હતુ. જ્યારે કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓનું જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, ઝરણાબેન જાની સહિતના આગેવાનો દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેની અસર જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…

6 hours ago

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…

1 day ago

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…

3 days ago

સુરેન્દ્રનગર શહેરમાં ASP, પોલીસ અને PGVCL ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન રૂ.1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ…

સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…

4 days ago

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડુત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી નવી રાહ ચીંધી…

સુરેન્દ્રનગર, તા.૨૦ સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી…

5 days ago

સુરેન્દ્રનગર જીલ્લાના ૪૦૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ તા.20 મે ને બુધવારના રોજ બંધ રાખી વિરોધ કરશે.

સમગ્ર ગુજરાતમાં તા.20 મે ને બુધવારના રોજ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે.…

5 days ago