Categories: Surendranagar

લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાન સહિત ૫૦ થી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપમાં ગાબડું પડ્યું છે. લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાનએ પોતાના અંદાજે ૫૦થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે.જે અંગે મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાન તેજાભાઇ મેટાલિયા અને અંદાજે ૫૦ થી વધુ કાર્યકરોએ ભાજપને રામરામ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ તકે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં અને અગાઉ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ ભાજપમાંથી જીતી ચૂક્યા હોવા છતાં ભાજપ પક્ષ દ્વારા જુના અને અનુભવી કાર્યકર્તાઓને અન્યાય થતો હોવાથી કોંગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યું હતુ. જ્યારે કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓનું જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, ઝરણાબેન જાની સહિતના આગેવાનો દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેની અસર જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 days ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

4 weeks ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago