સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓ અને પોલીસ ટીમોની રેકી કરી ભૂમાફિયાઓને માહિતી પહોંચાડતા બાતમીદારો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મુળી, સાયલા અને થાન તાલુકામાંથી અંદાજે ૪૦ થી વધુ બાતમીદારોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા બાતમીદારો અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગની રેઇડ અને તેમના લોકેશન સહિતની ગુપ્ત માહિતી પહોંચાડતા હતા. જેના કારણે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હતું. આ ઉપરાંત બાતમીદારો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરી ભૂમાફિયાઓને ગેરકાયદેસર ખનન માટે છૂટો દોર આપતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ લીંબડી અને ચોટીલા DYSP સહિત સાયલા, મુળી અને થાન પોલીસની ટીમોએ સંયુક્ત કામગીરી કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.
– Viren Dangrecha.
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…