સુરેન્દ્રનગર જીલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ વિભાગના નાયબ મામલતદાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળો સુરેન્દ્રનગર ACBના હાથે લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે મળતી માહિતી મુજબ ફરિયાદીના પિતાએ વેચાણથી ખરીદેલી ખેતીની જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ રૂ. 50,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, અંતે રકઝક બાદ રૂ. 20,000માં સોદો નક્કી થયો હતો. આ અંગે ફરિયાદ મળતાં સુરેન્દ્રનગર ACB પોલીસે લખતર મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન નાયબ મામલતદાર જયદીપસિંહ હનુભા પરમાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળો કનકસિંહ વાધુભા ઝાલાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…
“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…
સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર, તા.૨૦ સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી…
સમગ્ર ગુજરાતમાં તા.20 મે ને બુધવારના રોજ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે.…