Lakhtar

લખતર મામલતદાર કચેરીમાં રૂ.20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટ્ટાવાળા સહિત બે ઝડપાયા

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ વિભાગના નાયબ મામલતદાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળો સુરેન્દ્રનગર ACBના હાથે લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે મળતી માહિતી મુજબ ફરિયાદીના પિતાએ વેચાણથી ખરીદેલી ખેતીની જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ રૂ. 50,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, અંતે રકઝક બાદ રૂ. 20,000માં સોદો નક્કી થયો હતો. આ અંગે ફરિયાદ મળતાં સુરેન્દ્રનગર ACB પોલીસે લખતર મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન નાયબ મામલતદાર જયદીપસિંહ હનુભા પરમાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળો કનકસિંહ વાધુભા ઝાલાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

1 day ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

4 weeks ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago