Surendranagar

વઢવાણ હવામહેલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણ ખાતે આવેલા હવા મહેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતા રહી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપમાં નારાજ રહેલા આગેવાનો અને કાર્યકરોને સમજાવીને પક્ષમાં પાછા જોડાવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ પક્ષો ચૂંટણી જીતવા કરતાં સોશિયલ મીડિયામાં દેકારો કરી લોકોમાં ભ્રમ ફેલાવવા પ્રયત્ન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો લોકો વચ્ચે જોવા પણ નહીં મળે. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સાથે જ મતદારોના પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા તથા ઘર-ઘર સંપર્ક અભિયાન દ્વારા વિકાસના મુદ્દાઓ સાથે મત માંગવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તમામ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં…

21 hours ago

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…

5 days ago

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…

6 days ago

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…

1 week ago

સુરેન્દ્રનગર શહેરમાં ASP, પોલીસ અને PGVCL ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન રૂ.1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ…

સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…

1 week ago

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડુત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી નવી રાહ ચીંધી…

સુરેન્દ્રનગર, તા.૨૦ સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી…

1 week ago