Surendranagar

વઢવાણ હવામહેલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણ ખાતે આવેલા હવા મહેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતા રહી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપમાં નારાજ રહેલા આગેવાનો અને કાર્યકરોને સમજાવીને પક્ષમાં પાછા જોડાવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ પક્ષો ચૂંટણી જીતવા કરતાં સોશિયલ મીડિયામાં દેકારો કરી લોકોમાં ભ્રમ ફેલાવવા પ્રયત્ન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો લોકો વચ્ચે જોવા પણ નહીં મળે. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સાથે જ મતદારોના પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા તથા ઘર-ઘર સંપર્ક અભિયાન દ્વારા વિકાસના મુદ્દાઓ સાથે મત માંગવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તમામ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago