સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વોર્ડ નં. ૦૧ માં ભાજપની સંપૂર્ણ પેનલ બિનહરીફ જાહેર થઈ છે.
વોર્ડ નં. ૦૧ માં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસ સુધી ફોર્મ ભર્યું નહોતું. જેના પરિણામે સમગ્ર પેનલ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પહેલા જ વોર્ડ નં. ૦૧ના તમામ ચાર ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. જેમાં હેમાબેન સિંગલ, પ્રિયંકાબા જાડેજા, અમરાભાઈ હાડગડા અને રાજેશ પટેલનો સમાવેશ થાય છે. આ બિનહરીફ જીતને લઈને ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે બીજી બાજુ વઢવાણ તાલુકા પંચાયતની મેમકા બેઠકના ઉમેદવાર રેખાબેન મકવાણા અને રામપરા બેઠકના ઉમેદવાર કાનજીભાઈ ચાવડા સામે પણ અંતિમ દિવસે કોઈપણ પક્ષના ઉમેદવારોએ ફોર્મ નહી ભરતા તાલુકા પંચાયતની આ બે બેઠકો પણ ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ છે.
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…