Categories: Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૦૮માં સાસુ અને પુત્રવધુ વચ્ચે સામ સામે જંગ જામશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૮માં અનોખો રાજકીય જંગ જામશે તેમ લાગી રહ્યું છે. જેમાં એક જ પરિવારની સાસુ અને પુત્રવધુ આમને સામને ચૂંટણી મેદાનમાં ઉતરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચુંટણી માટે વોર્ડ નંબર ૦૮માં થી પુત્રવધુ હીનાબેન થરેશાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે જ્યારે બીજી બાજુ સાસુ રેખાબેન થરેશાએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. આમ એક જ વોર્ડમાં પરિવારજનો વચ્ચે સીધી ટક્કર બનતા મતદારો પણ મૂંઝવણમાં મુકાયા છે કે સાસુને મત આપવો કે પુત્રવધુને ? પરંતુ ચુંટણી પરિણામને દિવસે સ્પષ્ટ થઈ જશે કે કોની જીત થાય છે અને કોને હારનો સામનો કરવો પડે છે. હાલ તો બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અનોખા ચૂંટણી જંગને કારણે વોર્ડ નંબર ૦૮માં ચૂંટણી પ્રચાર વધુ રસપ્રદ બનશે તેમ લાગી રહ્યું છે.

 

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 days ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

4 weeks ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago