સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૮માં અનોખો રાજકીય જંગ જામશે તેમ લાગી રહ્યું છે. જેમાં એક જ પરિવારની સાસુ અને પુત્રવધુ આમને સામને ચૂંટણી મેદાનમાં ઉતરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચુંટણી માટે વોર્ડ નંબર ૦૮માં થી પુત્રવધુ હીનાબેન થરેશાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે જ્યારે બીજી બાજુ સાસુ રેખાબેન થરેશાએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. આમ એક જ વોર્ડમાં પરિવારજનો વચ્ચે સીધી ટક્કર બનતા મતદારો પણ મૂંઝવણમાં મુકાયા છે કે સાસુને મત આપવો કે પુત્રવધુને ? પરંતુ ચુંટણી પરિણામને દિવસે સ્પષ્ટ થઈ જશે કે કોની જીત થાય છે અને કોને હારનો સામનો કરવો પડે છે. હાલ તો બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અનોખા ચૂંટણી જંગને કારણે વોર્ડ નંબર ૦૮માં ચૂંટણી પ્રચાર વધુ રસપ્રદ બનશે તેમ લાગી રહ્યું છે.
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…