Categories: Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૦૮માં સાસુ અને પુત્રવધુ વચ્ચે સામ સામે જંગ જામશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૮માં અનોખો રાજકીય જંગ જામશે તેમ લાગી રહ્યું છે. જેમાં એક જ પરિવારની સાસુ અને પુત્રવધુ આમને સામને ચૂંટણી મેદાનમાં ઉતરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચુંટણી માટે વોર્ડ નંબર ૦૮માં થી પુત્રવધુ હીનાબેન થરેશાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે જ્યારે બીજી બાજુ સાસુ રેખાબેન થરેશાએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. આમ એક જ વોર્ડમાં પરિવારજનો વચ્ચે સીધી ટક્કર બનતા મતદારો પણ મૂંઝવણમાં મુકાયા છે કે સાસુને મત આપવો કે પુત્રવધુને ? પરંતુ ચુંટણી પરિણામને દિવસે સ્પષ્ટ થઈ જશે કે કોની જીત થાય છે અને કોને હારનો સામનો કરવો પડે છે. હાલ તો બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અનોખા ચૂંટણી જંગને કારણે વોર્ડ નંબર ૦૮માં ચૂંટણી પ્રચાર વધુ રસપ્રદ બનશે તેમ લાગી રહ્યું છે.

 

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં…

21 hours ago

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…

5 days ago

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…

6 days ago

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…

1 week ago

સુરેન્દ્રનગર શહેરમાં ASP, પોલીસ અને PGVCL ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન રૂ.1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ…

સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…

1 week ago

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડુત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી નવી રાહ ચીંધી…

સુરેન્દ્રનગર, તા.૨૦ સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી…

1 week ago