Surendranagar

શું છે HANTA VIRUS જાણો અને સાવચેત રહો…

હન્ટા વાયરસ શું છે ? Hantavirus Infection એ ઉંદર અને અન્ય રોડન્ટ પ્રાણીઓ દ્વારા ફેલાતો ગંભીર વાયરસ જન્ય ચેપ છે. આ વાયરસ માણસોમાં શ્વાસ તંત્ર અને કિડનીને ગંભીર અસર પહોંચાડી શકે છે. વિશ્વના અલગ અલગ ભાગોમાં હન્ટા વાયરસના જુદા પ્રકાર જોવા મળે છે.

હન્ટા વાયરસ કેવી રીતે ફેલાય છે ? હન્ટા વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત ઉંદરના મૂત્ર, લાળ, મળ, ગંદકીના સુક્ષ્મ કણો દ્વારા ફેલાય છે.જ્યારે માણસો આવી ગંદકી સાફ કરતી વખતે વાયરસ વાળા કણો શ્વાસ દ્વારા અંદર ખેંચે છે ત્યારે ચેપ લાગી શકે છે.

ચેપ લાગવાના સામાન્ય કારણો :  બંધ પડેલા ગોડાઉન અથવા મકાન સાફ કરવું, ખેતર અથવા સ્ટોર રૂમમાં ઉંદરનો ઉપદ્રવ, ગંદકી હાથ લગાવી પછી મોઢું/નાક સ્પર્શવું, દુર્લભ કેસમાં ઉંદર કાપે ત્યારે હન્ટા વાયરસના લક્ષણો ચેપ લાગ્યા પછી સામાન્ય રીતે ૧ થી ૮ અઠવાડિયામાં લક્ષણો દેખાય છે.

શરૂઆતના લક્ષણો:  તાવ, શરીરમાં દુખાવો,‌ માથાનો દુખાવો, થાક, ઉલ્ટી અથવા મન ગભરાવું, પેટમાં દુખાવો..ગંભીર લક્ષણો: શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં પાણી ભરાવુ, લો-બ્લડ પ્રેશર, કિડની ફેલ થવાની શક્યતા.

હન્ટા વાયરસ કેટલો ખતરનાક છે‌‌ ? હન્ટા વાયરસ ગંભીર બીમારી પેદા કરી શકે છે. કેટલાક કેસોમાં દર્દીને ICU સુધી લઈ જવું પડે છે. સમયસર સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે.

સારવાર શું છે‌‌ ? હાલમાં હન્ટા વાયરસ માટે કોઈ ખાસ એન્ટી‌ વાયરલ દવા અથવા વેક્સિન ઉપલબ્ધ નથી. આથી ડોક્ટરો સામાન્ય રીતે ઓક્સિજન સપોર્ટ, ICU સારવાર, ફ્લુઈડ મેનેજમેન્ટ, કિડની સપોર્ટ આપે છે. તેમજ શરૂઆતમાં સારવાર શરૂ થાય તો બચવાની શક્યતા વધે છે.

બચાવ માટે શું કરવું ? ખાસ સાવચેતીઓ ઘરમાં ઉંદર ન રહે તેની કાળજી રાખવી, ગંદકી સાફ કરતી વખતે માસ્ક અને ગ્લોવ્સ પહેરવા, સૂકા મળને સીધું ઝાડવું નહીં પહેલા ડિસઇન્ફેક્ટન્ટ છાંટવું, ખોરાક ઢાંકીને રાખવો, સ્ટોર રૂમ અને ગોડાઉન સ્વચ્છ રાખવા.

શું માણસથી માણસમાં ફેલાય છે ? મોટાભાગના હન્ટા વાયરસ પ્રકારોમાં માણસથી માણસમાં ચેપ ફેલાતો નથી. પરંતુ કેટલાક દુર્લભ પ્રકારોમાં નજીકના સંપર્કથી ફેલાવાની શક્યતા નોંધાઈ છે.

ભારતમાં હન્ટા વાયરસની સ્થિતિ : ભારતમાં હન્ટા વાયરસના કેસ બહુ ઓછા જોવા મળ્યા છે અગાઉ વર્ષ ૨૦૦૭, ૨૦૦૮ અને ૨૦૧૬ માં આ વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે. પરંતુ રોડન્ટ પ્રાણીઓ વધુ હોય તેવા વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિને ઉંદરની ગંદકી પછી તાવ અને શ્વાસની તકલીફ થાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 weeks ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

4 weeks ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

1 month ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

2 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

2 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

2 months ago