Surendranagar

શું છે HANTA VIRUS જાણો અને સાવચેત રહો…

હન્ટા વાયરસ શું છે ? Hantavirus Infection એ ઉંદર અને અન્ય રોડન્ટ પ્રાણીઓ દ્વારા ફેલાતો ગંભીર વાયરસ જન્ય ચેપ છે. આ વાયરસ માણસોમાં શ્વાસ તંત્ર અને કિડનીને ગંભીર અસર પહોંચાડી શકે છે. વિશ્વના અલગ અલગ ભાગોમાં હન્ટા વાયરસના જુદા પ્રકાર જોવા મળે છે.

હન્ટા વાયરસ કેવી રીતે ફેલાય છે ? હન્ટા વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત ઉંદરના મૂત્ર, લાળ, મળ, ગંદકીના સુક્ષ્મ કણો દ્વારા ફેલાય છે.જ્યારે માણસો આવી ગંદકી સાફ કરતી વખતે વાયરસ વાળા કણો શ્વાસ દ્વારા અંદર ખેંચે છે ત્યારે ચેપ લાગી શકે છે.

ચેપ લાગવાના સામાન્ય કારણો :  બંધ પડેલા ગોડાઉન અથવા મકાન સાફ કરવું, ખેતર અથવા સ્ટોર રૂમમાં ઉંદરનો ઉપદ્રવ, ગંદકી હાથ લગાવી પછી મોઢું/નાક સ્પર્શવું, દુર્લભ કેસમાં ઉંદર કાપે ત્યારે હન્ટા વાયરસના લક્ષણો ચેપ લાગ્યા પછી સામાન્ય રીતે ૧ થી ૮ અઠવાડિયામાં લક્ષણો દેખાય છે.

શરૂઆતના લક્ષણો:  તાવ, શરીરમાં દુખાવો,‌ માથાનો દુખાવો, થાક, ઉલ્ટી અથવા મન ગભરાવું, પેટમાં દુખાવો..ગંભીર લક્ષણો: શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં પાણી ભરાવુ, લો-બ્લડ પ્રેશર, કિડની ફેલ થવાની શક્યતા.

હન્ટા વાયરસ કેટલો ખતરનાક છે‌‌ ? હન્ટા વાયરસ ગંભીર બીમારી પેદા કરી શકે છે. કેટલાક કેસોમાં દર્દીને ICU સુધી લઈ જવું પડે છે. સમયસર સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે.

સારવાર શું છે‌‌ ? હાલમાં હન્ટા વાયરસ માટે કોઈ ખાસ એન્ટી‌ વાયરલ દવા અથવા વેક્સિન ઉપલબ્ધ નથી. આથી ડોક્ટરો સામાન્ય રીતે ઓક્સિજન સપોર્ટ, ICU સારવાર, ફ્લુઈડ મેનેજમેન્ટ, કિડની સપોર્ટ આપે છે. તેમજ શરૂઆતમાં સારવાર શરૂ થાય તો બચવાની શક્યતા વધે છે.

બચાવ માટે શું કરવું ? ખાસ સાવચેતીઓ ઘરમાં ઉંદર ન રહે તેની કાળજી રાખવી, ગંદકી સાફ કરતી વખતે માસ્ક અને ગ્લોવ્સ પહેરવા, સૂકા મળને સીધું ઝાડવું નહીં પહેલા ડિસઇન્ફેક્ટન્ટ છાંટવું, ખોરાક ઢાંકીને રાખવો, સ્ટોર રૂમ અને ગોડાઉન સ્વચ્છ રાખવા.

શું માણસથી માણસમાં ફેલાય છે ? મોટાભાગના હન્ટા વાયરસ પ્રકારોમાં માણસથી માણસમાં ચેપ ફેલાતો નથી. પરંતુ કેટલાક દુર્લભ પ્રકારોમાં નજીકના સંપર્કથી ફેલાવાની શક્યતા નોંધાઈ છે.

ભારતમાં હન્ટા વાયરસની સ્થિતિ : ભારતમાં હન્ટા વાયરસના કેસ બહુ ઓછા જોવા મળ્યા છે અગાઉ વર્ષ ૨૦૦૭, ૨૦૦૮ અને ૨૦૧૬ માં આ વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે. પરંતુ રોડન્ટ પ્રાણીઓ વધુ હોય તેવા વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિને ઉંદરની ગંદકી પછી તાવ અને શ્વાસની તકલીફ થાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

ચોટીલા ડેપ્યુટી કલેકટર H.T.મકવાણા અને ટીમ દ્વારા સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર કાળી રેતીનું ખનન ઝડપી પાડ્યું.

ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપીને…

19 hours ago

જોરાવરનગર પોલીસે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો…

જોરાવરનગર પોલીસે શહેરી વિસ્તારમાં રહેતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…

3 days ago

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા તાલુકામાંથી ઈંગ્લીશ દારૂ સાથે 03 શખ્સોને ઝડપી લીધા

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની ફરીયાદો…

4 days ago

સુરેન્દ્રનગરની સરદાર સોસાયટીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોની મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે પરંતુ અગાઉ…

6 days ago

સુરેન્દ્રનગર LCB પોલીસે 02 શખ્સોને ચોરીના રૂ.31.30 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડી નોંધપાત્ર…

7 days ago

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ ગીરવે મુકેલ 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા

સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રહેતા અનિલભાઈ પરમારે બે શખ્સો પાસે ગીરવે મુકેલા ૩૫ તોલા સોનાના દાગીના…

1 week ago