હન્ટા વાયરસ શું છે ? Hantavirus Infection એ ઉંદર અને અન્ય રોડન્ટ પ્રાણીઓ દ્વારા ફેલાતો ગંભીર વાયરસ જન્ય ચેપ છે. આ વાયરસ માણસોમાં શ્વાસ તંત્ર અને કિડનીને ગંભીર અસર પહોંચાડી શકે છે. વિશ્વના અલગ અલગ ભાગોમાં હન્ટા વાયરસના જુદા પ્રકાર જોવા મળે છે.
હન્ટા વાયરસ કેવી રીતે ફેલાય છે ? હન્ટા વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત ઉંદરના મૂત્ર, લાળ, મળ, ગંદકીના સુક્ષ્મ કણો દ્વારા ફેલાય છે.જ્યારે માણસો આવી ગંદકી સાફ કરતી વખતે વાયરસ વાળા કણો શ્વાસ દ્વારા અંદર ખેંચે છે ત્યારે ચેપ લાગી શકે છે.
ચેપ લાગવાના સામાન્ય કારણો : બંધ પડેલા ગોડાઉન અથવા મકાન સાફ કરવું, ખેતર અથવા સ્ટોર રૂમમાં ઉંદરનો ઉપદ્રવ, ગંદકી હાથ લગાવી પછી મોઢું/નાક સ્પર્શવું, દુર્લભ કેસમાં ઉંદર કાપે ત્યારે હન્ટા વાયરસના લક્ષણો ચેપ લાગ્યા પછી સામાન્ય રીતે ૧ થી ૮ અઠવાડિયામાં લક્ષણો દેખાય છે.
શરૂઆતના લક્ષણો: તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક, ઉલ્ટી અથવા મન ગભરાવું, પેટમાં દુખાવો..ગંભીર લક્ષણો: શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં પાણી ભરાવુ, લો-બ્લડ પ્રેશર, કિડની ફેલ થવાની શક્યતા.
હન્ટા વાયરસ કેટલો ખતરનાક છે ? હન્ટા વાયરસ ગંભીર બીમારી પેદા કરી શકે છે. કેટલાક કેસોમાં દર્દીને ICU સુધી લઈ જવું પડે છે. સમયસર સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે.
સારવાર શું છે ? હાલમાં હન્ટા વાયરસ માટે કોઈ ખાસ એન્ટી વાયરલ દવા અથવા વેક્સિન ઉપલબ્ધ નથી. આથી ડોક્ટરો સામાન્ય રીતે ઓક્સિજન સપોર્ટ, ICU સારવાર, ફ્લુઈડ મેનેજમેન્ટ, કિડની સપોર્ટ આપે છે. તેમજ શરૂઆતમાં સારવાર શરૂ થાય તો બચવાની શક્યતા વધે છે.
બચાવ માટે શું કરવું ? ખાસ સાવચેતીઓ ઘરમાં ઉંદર ન રહે તેની કાળજી રાખવી, ગંદકી સાફ કરતી વખતે માસ્ક અને ગ્લોવ્સ પહેરવા, સૂકા મળને સીધું ઝાડવું નહીં પહેલા ડિસઇન્ફેક્ટન્ટ છાંટવું, ખોરાક ઢાંકીને રાખવો, સ્ટોર રૂમ અને ગોડાઉન સ્વચ્છ રાખવા.
શું માણસથી માણસમાં ફેલાય છે ? મોટાભાગના હન્ટા વાયરસ પ્રકારોમાં માણસથી માણસમાં ચેપ ફેલાતો નથી. પરંતુ કેટલાક દુર્લભ પ્રકારોમાં નજીકના સંપર્કથી ફેલાવાની શક્યતા નોંધાઈ છે.
ભારતમાં હન્ટા વાયરસની સ્થિતિ : ભારતમાં હન્ટા વાયરસના કેસ બહુ ઓછા જોવા મળ્યા છે અગાઉ વર્ષ ૨૦૦૭, ૨૦૦૮ અને ૨૦૧૬ માં આ વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે. પરંતુ રોડન્ટ પ્રાણીઓ વધુ હોય તેવા વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિને ઉંદરની ગંદકી પછી તાવ અને શ્વાસની તકલીફ થાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
– Viren Dangrecha.
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…
ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા…
ધ્રાંગધ્રા : તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલ વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીના વિરોધમાં…