લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે બનેલ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકની અડફેટે આવતા ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. જે અંગે મળતી માહિતી મુજબ લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલકે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ૦૫ મહિલાઓ અને ૦૨ પુરુષ સહિત કુલ ૦૭ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અન્ય ૦૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં તમામ પદયાત્રીઓ રાજકોટ જીલ્લાના ગટકા ગામના રહેવાસી હતા અને વિરમગામ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોતના કારણે વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હજુ પણ મૃત્યુ આંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે અકસ્માતમાં ૦૭ લોકોના મોત નીપજતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…