Lakhtar

લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામ પાસે ટ્રકની અડફેટે ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા

લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે બનેલ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકની અડફેટે આવતા ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. જે અંગે મળતી માહિતી મુજબ લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલકે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ૦૫ મહિલાઓ અને ૦૨ પુરુષ સહિત કુલ ૦૭ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અન્ય ૦૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં તમામ પદયાત્રીઓ રાજકોટ જીલ્લાના ગટકા ગામના રહેવાસી હતા અને વિરમગામ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોતના કારણે વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હજુ પણ મૃત્યુ આંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે અકસ્માતમાં ૦૭ લોકોના મોત નીપજતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

 

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા રાજકોટ-ચોટીલા હાઈવે પરથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ સાથે…

2 hours ago

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ…

1 day ago

સુરેન્દ્રનગર જીલ્લાના AAPના હોદ્દેદાર સતીશભાઈ ગમારાએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયું

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત…

2 days ago

સુરેન્દ્રનગર LCB પોલીસે ચુંટણી પહેલા પાટડીના સેડલા ગામની સીમમાં થી રૂ.૭૬.૫૬ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા…

3 days ago

સુરેન્દ્રનગરના રતનપરને પોપટપરા વિસ્તાર સાથે જોડતા રસ્તાના પુનઃનિર્માણની કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા માર્ગના પુનઃનિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં…

3 days ago

પાટડીના કોંગ્રેસના યુવા નેતા તેમજ સવલાસ જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિક્રમભાઈ રબારી સહિતનાઓ જોડાયા ભાજપમાં

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની…

4 days ago