મુળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. સંમેલનમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુળી-૦૨ જિલ્લા પંચાયત બેઠક પર રાજુ કરપડાના મુકાબલે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। આગેવાનો દ્વારા જણાવાયું હતું કે મુળી તાલુકામાં કોળી ઠાકોર સમાજની ૧૪,૦૦૦થી વધુ વસ્તી હોવા છતાં આ બેઠક પર અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા વ્યક્તિને ટિકિટ આપવી એ સમાજ સાથેનો અન્યાય છે. આ સંમેલનમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે જનતાને અપીલ કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે રૂપિયા વડે ક્યારેય ચૂંટણી જીતી શકાય નહીં. તેમણે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે જો પૈસાથી ચૂંટણી જીતી શકાતી હોય તો તેઓ બનાસકાંઠામાં તેમની સામે ચૂંટણી લડી બતાવે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ભાજપ કોળી ઠાકોર સમાજના આગેવાનોને એક જ વખત ટિકિટ આપે છે અને પછી કાપી નાખે છે. તેમણે શામજીભાઈ ચૌહાણ, દેવજીભાઈ સહિતના આગેવાનોના ઉદાહરણ આપીને આક્ષેપ કર્યો કે ભવિષ્યમાં પણ આવી જ સ્થિતિ સર્જાશે. આ મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, ઋત્વિક મકવાણા સહિતના હોદેદારો, આગેવાનો, કાર્યકરો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…