જોરાવરનગર પોલીસે શહેરી વિસ્તારમાં રહેતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે મળતી માહિતી મુજબ આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ ચૌહાણે ચોકલેટના ડબ્બાના ઓર્ડરના બહાને યુવતી સાથે ઓળખાણ કેળવી હતી અને ત્યારબાદ મિત્રતા કરી હતી. બાદમાં યુવતીને ફરવાના બહાને ખમીસાણા રોડ પર આવેલ કેનાલ પાસે લઈ જઈ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત યુવતીની વ્યક્તિગત વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તેમજ સગાઈ તોડાવી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આરોપી યુવક કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…