Than

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી માહોલ વચ્ચે રાજકીય મહાનુભાવો દ્વારા ત્રીનેત્રેશ્વર મહાદેવની પુજા, અર્ચના અને આરતી કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ થાન તાલુકાના તરણેતર ખાતે તા.૧૪ થી ૧૭ સપ્ટેમ્બર સુધી યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ લોકમેળાને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતનાઓ દ્વારા ત્રીનેત્રેશ્વર મહાદેવની પુજા અને અર્ચના કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં તરણેતરના મેળામાં મુલાકાત લે છે આ મેળાના માધ્યમથી સ્થાનિક કલાકારોની કળા અને કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તેમજ મેળામાં ગ્રામીણ ઓલમ્પિક, લુપ્ત થતી પરંપરાગત રમતો, અલગ-અલગ વેશભૂષાની હરીફાઈઓ તેમજ ડાકલા, મંજીરા અને ડમરુ વાદકો જેવા પરંપરાગત કલાકારોની સ્પર્ધાઓ યોજાય છે. આ ઉપરાંત શ્રેષ્ઠ ઓલાદના પશુઓની હરીફાઈ પણ યોજવામાં આવે છે મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને લોકોની સુરક્ષા માટે જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસ વડાની સમગ્ર ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. વરસાદ બાદ મેળાનો ઉત્સાહપૂર્વક આનંદ માણવા મહાનુભાવો દ્વારા અપીલ કરી હતી અને ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આ તકે જીલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જીલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા સહિતના મહાનુભાવો, આગેવાનો, અધિકારીઓ તેમજ મેળા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago