Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સતાવાર બેઠક યોજાયા બાદ મેયર સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફૂલ ૫૨ બેઠકોમાંથી ૫૧ બેઠકો પર ભાજપની જીત થઈ હતી જ્યારે ૦૧ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાયેલ ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને ભાજપની જીત બાદ વઢવાણ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે મનપાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારો માટે મનપા કમિશનર જે.એસ.જાદવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ભાજપના ચૂંટાયેલા સદસ્યો દ્વારા પ્રથમ મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરી, શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા અનુ.જાતિમાંથી મેયર, બ્રહ્મ સમાજમાંથી ડેપ્યુટી મેયર, જૈન સમાજમાંથી કારોબારી ચેરમેન, કોળી ઠાકોર સમાજમાંથી શાસક પક્ષના નેતા અને સોની સમાજમાંથી દંડક તરીકે વરણી કરતા દરેક સમાજને એકંદરે ન્યાય આપી આવરી લેવામાં આવ્યો હતો. જયારે નવનિયુકત સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયરએ પોતાની વરણી બાદ લોકોને પાણી, રોડ, રસ્તા, સફાઈ, ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની અને વિકાસના કામોને અગ્રીમતા આપવાની ખાતરી આપી હતી. આ વરણી પ્રક્રિયા દરમિયાન લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિત ભાજપના હોદેદારો, આગેવાનો, મનપાના ચૂંટાયેલા ભાજપના સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુકત હોદ્દેદારોને ફુલહાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જો કે આ સમગ્ર વરણી પ્રક્રિયા દરમિયાન સુરેન્દ્રનગર મનપાના કમિશનરે મીડિયા કર્મીઓને અળગા રાખતા ક્યાંકને ક્યાંક મનપા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…

5 days ago

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…

6 days ago

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…

1 week ago

સુરેન્દ્રનગર શહેરમાં ASP, પોલીસ અને PGVCL ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન રૂ.1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ…

સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…

1 week ago

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડુત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી નવી રાહ ચીંધી…

સુરેન્દ્રનગર, તા.૨૦ સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી…

1 week ago

સુરેન્દ્રનગર જીલ્લાના ૪૦૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ તા.20 મે ને બુધવારના રોજ બંધ રાખી વિરોધ કરશે.

સમગ્ર ગુજરાતમાં તા.20 મે ને બુધવારના રોજ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે.…

1 week ago