Lakhtar

સુરેન્દ્રનગર LCB પોલીસે તલસાણા સોલાર પ્લાન્ટમાં ચોરીના 02 આરોપીઓને ઝડપી પાડ્યા…

સુરેન્દ્રનગર LCB પોલીસે લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ગુજસીટોકના ગુન્હામાં સંડોવાયેલ આરોપીનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે અંગે મળતી માહિતી મુજબ તલસાણા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં થોડા સમય પહેલા ચોરીની ઘટના બની હતી. આ અંગે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી LCB ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. LCB પોલીસે હ્યુમન સોર્સ, ટેક્નિકલ સોર્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ઝમર ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ : (૧) રોમીઝખાન મહોમદખાન મલેક, રહે. ગેડીયા હાલ સુરેન્દ્રનગર. (૨) અતીકભાઈ ધરમશીભાઈ ચાણશમા, રહે. સુરેન્દ્રનગર. પોલીસે આરોપીઓ પાસેથી 17 તાંબાની પ્લેટો, 140 કિલો તાંબાનો વાયર, એક આઈશર વાહન, એક બાઈક તેમજ બે મોબાઈલ મળી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી રોમીઝખાન મલેક વિરુદ્ધ ધ્રાંગધ્રા, બગોદરા, બજાણા, હળવદ, સાણંદ, વિરમગામ, લખતર સહિતના અનેક પોલીસ મથકોમાં વિવિધ ગુન્હાઓ નોંધાયેલા છે. આ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપી રાહુલ ધરમશીભાઈ ચાણશમાને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

-Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

1 day ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

1 week ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

1 week ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…

3 weeks ago

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા…

3 weeks ago