સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. શહેરના મિયાણાવાડ, લક્ષ્મીપરા, પોપટપરા, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન રૂ.1.25 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી. જે અંગે મળતી માહિતી મુજબ કુલ ૧૨૫ ઘરોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 84 ઘરોમાં ગેરકાયદેસર વીજ કનેક્શન દ્વારા વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. PGVCL દ્વારા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચેકીંગ દરમિયાન બુટલેગર, હિસ્ટ્રીશીટર તથા અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના ઘરોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ૦૮ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ઓપરેશનમાં ASP વેદિકા બિહાનીના સહિત સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ, LCB ટીમના ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તથા PGVCLની 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.
– Viren Dangrecha.
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…
અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી…