ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ નજીક પૂઠાં સહિતનો માલસામાન ભરીને જઈ રહેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં ટ્રક ચાલક અને ક્લીનરે સમય સૂચકતા દાખવી તાત્કાલિક ટ્રકમાંથી બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. જો કે ટ્રકમાં ભરાયેલ પૂઠાં સહિતનો મુદ્દામાલ આગમાં બળી ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. જ્યારે આગ લાગતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો સહિત પોલીસ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક પર અસર પણ જોવા મળી હતી.
ધ્રાંગધ્રા : તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલ વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીના વિરોધમાં…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં…
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…
“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…
સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…