ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ નજીક પૂઠાં સહિતનો માલસામાન ભરીને જઈ રહેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં ટ્રક ચાલક અને ક્લીનરે સમય સૂચકતા દાખવી તાત્કાલિક ટ્રકમાંથી બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. જો કે ટ્રકમાં ભરાયેલ પૂઠાં સહિતનો મુદ્દામાલ આગમાં બળી ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. જ્યારે આગ લાગતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો સહિત પોલીસ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક પર અસર પણ જોવા મળી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત…
સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા…
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા માર્ગના પુનઃનિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની…
લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે બનેલ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકની અડફેટે આવતા ૦૭ પદયાત્રીઓના ઘટના…