સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે ૪૦ થી વધુ કાર્યકરોએ પક્ષ છોડીને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને જૂથબંધીના કારણે અસંતોષ જોવા મળી રહ્યો છે જેના પગલે સતીશભાઈ ગમારા સહિતના કાર્યકરોએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને આ રાજકીય ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીના આગેવાનોના આ નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા તેમજ વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ…
સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા…
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા માર્ગના પુનઃનિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની…
લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે બનેલ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકની અડફેટે આવતા ૦૭ પદયાત્રીઓના ઘટના…