Surendranagar

સુરેન્દ્રનગર જીલ્લાના AAPના હોદ્દેદાર સતીશભાઈ ગમારાએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયું

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે ૪૦ થી વધુ કાર્યકરોએ પક્ષ છોડીને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને જૂથબંધીના કારણે અસંતોષ જોવા મળી રહ્યો છે જેના પગલે સતીશભાઈ ગમારા સહિતના કાર્યકરોએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને આ રાજકીય ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીના આગેવાનોના આ નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા તેમજ વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા રાજકોટ-ચોટીલા હાઈવે પરથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ સાથે…

2 hours ago

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ…

1 day ago

સુરેન્દ્રનગર LCB પોલીસે ચુંટણી પહેલા પાટડીના સેડલા ગામની સીમમાં થી રૂ.૭૬.૫૬ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા…

3 days ago

સુરેન્દ્રનગરના રતનપરને પોપટપરા વિસ્તાર સાથે જોડતા રસ્તાના પુનઃનિર્માણની કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા માર્ગના પુનઃનિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં…

3 days ago

પાટડીના કોંગ્રેસના યુવા નેતા તેમજ સવલાસ જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિક્રમભાઈ રબારી સહિતનાઓ જોડાયા ભાજપમાં

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની…

4 days ago

લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામ પાસે ટ્રકની અડફેટે ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા

લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે બનેલ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકની અડફેટે આવતા ૦૭ પદયાત્રીઓના ઘટના…

4 days ago