સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે ૪૦ થી વધુ કાર્યકરોએ પક્ષ છોડીને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને જૂથબંધીના કારણે અસંતોષ જોવા મળી રહ્યો છે જેના પગલે સતીશભાઈ ગમારા સહિતના કાર્યકરોએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને આ રાજકીય ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીના આગેવાનોના આ નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા તેમજ વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
ધ્રાંગધ્રા : તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલ વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીના વિરોધમાં…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં…
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકામાંથી નકલી DYSP બની લોકો સાથે છેતરપિંડી કરનાર…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪…
“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party - CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ…
સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં…