Surendranagar

સુરેન્દ્રનગર જીલ્લાના AAPના હોદ્દેદાર સતીશભાઈ ગમારાએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયું

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે ૪૦ થી વધુ કાર્યકરોએ પક્ષ છોડીને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને જૂથબંધીના કારણે અસંતોષ જોવા મળી રહ્યો છે જેના પગલે સતીશભાઈ ગમારા સહિતના કાર્યકરોએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને આ રાજકીય ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીના આગેવાનોના આ નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા તેમજ વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 days ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 weeks ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 weeks ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 weeks ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

4 weeks ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

1 month ago