સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા માર્ગના પુનઃનિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવતા વાહન ચાલકો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ ચોમાસા દરમિયાન ભોગાવો નદીમાં પાણીના પ્રવાહને કારણે આ માર્ગનું વારંવાર ધોવાણ થતું હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેમાં ખાસ કરીને રતનપર વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકોને સુરેન્દ્રનગર શહેરમાં અવરજવર કરવા માટે મુશ્કેલીઓ ઊભી થતી હતી. ત્યારે હાલમાં રસ્તાના રિપેરિંગ કામ માટે જેસીબી સહિતના સાધનો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે થી ત્રણ દિવસમાં રસ્તો વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ સાથે જ દર વર્ષે ચોમાસામાં ઉભી થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભવિષ્યમાં અહીં પુલ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તકે વોર્ડ નંબર ૧૦ ના ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારો ભાવેશભાઈ પ્રજાપતિ, નિખિલભાઈ ચાંપાનેરી, સોનલબેન દવે, જશુબેન વેગડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા…
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની…
લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે બનેલ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકની અડફેટે આવતા ૦૭ પદયાત્રીઓના ઘટના…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૮માં અનોખો રાજકીય જંગ જામશે તેમ લાગી રહ્યું છે.…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વોર્ડ નં. ૦૧ માં ભાજપની…